જાડેજાનું ફોર્મ ચિંતાનો વિષય, બેટિંગમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે

ગુજરાતના ક્રિક્રેટર અને ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર અને ફિનિશર તરીકેની ઇમેજ ધરાવતો રવિનેદ્ર જાડેજા છેલ્લાં ઘણા સમયથી બેટિંગમાં ફ્લોપ જઇ રહ્યો છે. રવિવારે વર્લ્ડકપ વન-ડેની લખનૌમાં રમાયેલી ઇંગ્લેંડ સામેની મેચમાં પણ જાડેજાએ લાખો ક્રિક્રેટ ચાહકોને નિરાશ કર્યા હતા.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયા આ મેચમાં સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.

આ બે સિવાય અન્ય કોઈ ખેલાડી કોઈ ખાસ ઉકાળી શક્યા નહોતા. વિરાટ કોહલી પણ ઝીરોમાં આઉટ થઇ ગયો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેનો સારા ફોર્મમાં છે, પરંતુ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે મોટો સ્કોર બનાવી શકી નથી.

ઈંગ્લેન્ડ સામે ભારતના કેટલાક ટોપ ઓર્ડર બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે, એક છેડેથી ક્રિઝ પર રહેલા રોહિત શર્માને ટેકો આપવાની જવાબદારી સંપૂર્ણપણે મિડલ ઓર્ડર બેટ્સમેન પર આવી ગઈ હતી. આ દરમિયાન કેએલ રાહુલે રોહિત શર્માનો સાથ આપ્યો અને બંને બેટ્સમેન વચ્ચે 91 રનની ભાગીદારી થઈ. પરંતુ કેએલ રાહુલ અને રોહિત શર્માના આઉટ થયા બાદ બધાની નજર સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજા પર હતી.

સૂર્યકુમાર યાદવે તો પોતાની 49 રનની ઇનિંગ રમી, પરંતુ રવિન્દ્ર જાડેજા માત્ર 8 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. બધા દર્શકોને રવિન્દ્ર જાડેજા પાસે સારા બેટિંગની અપેક્ષા હતા. રવિન્દ્ર જાડેજાના ખરાબ પ્રદર્શનને કારણે હવે તેની સામે સવાલો ઉઠવા માંડ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે શું રવિન્દ્ર જાડેજા ટીમમાં હવે માત્ર બોલિંગ કરવા માટે જ રહ્યો છે?

વન-ડે મેચમાં જાડેજા જે નંબર પર બેટિંગ કરવા માટે આવે છે એ સ્થાન પર ઝડપથી રન બનાવવાની જરૂરિયાત હોય છે અથવા કોઇક વાર આખા ઇનિંગ સંભાળવાની જવાબદારી આવી જતી હોય છે. પરંતુ રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2022થી વન-ડેમાં 16 ઇનિંગ રમી છે જેમાં તેનો એક પણ વખત 50ની ઉપરનો સ્કોર રહ્યો નથી. જાડેજા માત્ર બે જ ઇનિંગમાં 100થી વધારેની સ્ટ્રાઇથી બેટિંગ કરી શક્યો હતો. જાડેજાનું નબળું પ્રદર્શન ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.