રવીન્દ્ર જાડેજા જલદી જ મેદાનમાં કરશે વાપસી, આ મહત્ત્વની મેચમાં લેશે હિસ્સો

ભારતીય ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ ભારતીય ટીમમાં વાપસી  માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. રવીન્દ્ર જાડેજાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. રવીન્દ્ર જાડેજા તામુલનાડુ વિરુદ્ધ રણજી ટ્રોફી મેચ રમી શકે છે. રવીન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ઘૂંટણની ઇજાના કારણે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. T20 વર્લ્ડ કપ અગાઉ તે ટીમમાંથી બહાર થઇ ગયો હતો અને ત્યારથી જ તે રિકવરી માટે જોરદાર પ્રયત્ન કરી રહ્યો છે.

હવે રવીન્દ્ર જાડેજાને ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ કારણે તેને ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. આ સમયે તે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં પોતાનું રિહેબિલિટેશન પૂરું કરી રહ્યો છે. અને કહેવામાં આવી રહ્યું છે કે તેણે ફરી બેટિંગ અને બોલિંગ શરૂ કરી દીધી છે. જો કે, રવીન્દ્ર જાડેજા પોતાની તૈયારીઓમાં કોઇ કસર છોડવા માગતો નથી અને આ કારણે તેણે રણજી ટ્રોફી રમવાનો નિર્ણય લીધો છે.

સૌરાષ્ટ્રની ટીમે 24 જાન્યુઆરીના રોજ તમિલનાડુ વિરુદ્ધ ચેન્નાઇમાં રમવાનું છે અને રવીન્દ્ર જાડેજા આ મેચમાં રમી શકે છે. રવીન્દ્ર જાડેજા ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી બહાર ચાલી રહ્યો છે અને એવામાં તે આ મેચ રમીને પોતાનું લય પરત હાંસલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ ચારેય મેચ જ ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વની છે.

આ મેચોમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. અત્યારે માત્ર પહેલી બે ટેસ્ટ મેચો માટે ટીમની જાહેરાત થઇ છે, જેમાં કેટલાક ચોંકાવનારા નામ પણ સામેલ છે. BCCIના એક પદાધિકારીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, રવીન્દ્ર જાડેજાને ઓછામાં ઓછી એક ઘરેલુ મેચ રમવા કહ્યું છે. જો તે વાસ્તવમાં ફિટ હોય છે તો તેનાથી મિડલ મોર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનની સમસ્યાનું સમાધાન થઇ જશે અને ભારત 5 બોલરો સાથે ઉતરી શકે છે.

આમ પણ મેચ ફિટનેસ તમે ત્યારે જ હાંસલ કરી શકશો, જ્યારે તમે પ્રતિસ્પર્ધી મેચ રમો. રવીન્દ્ર જાડેજા જેવા વ્યક્તિને પોતાની મેચ ફિચ ફિટનેસ સાબિત કરવા માટે અને એ દેખાડવા માટે વધારેમાં વધારે ઓવર કરવી પડી શકે છે. તે એક ઇનિંગમાં 30-35 ઓવર બોલિંગ કરે તો સારું છે. તેઓ ઘરેલુ મેચ વિના બૂમરાહને રમાડી રહ્યા હતા. આશા છે કે જાડેજા સાથે એમ નહીં કરે. ઓછામાં ઓછી એક ઘરેલુ મેચ રમવાની નીતિ અનિવાર્ય હોવી જોઇએ, જેમ થોડા વર્ષો અગાઉ હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.