આ દિગ્ગજ ખેલાડી બોલ્યા- ધોની સંન્યાસ લઈ લેશે ત્યારે CSKને તેની ઉણપ વર્તાશે

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે એક કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના મહત્ત્વનો ઉલ્લેખ કર્યો છે. ઈયોન મોર્ગનના જણાવ્યા મુજબ, મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લઈ લેશે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેની કમી અનુભવાશે. ઈયોન મોર્ગને કહ્યું કે, ધોની મેદાનમાં અને ડ્રેસિંગ રૂમમાં એક અલગ પ્રકારની એનર્જી લાવે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધની મેચ બાદ કેટલીક એવી વાતો કહી જેથી ફેન્સને લાગવા લાગ્યું છે કે હવે તે સંન્યાસ લઈ લેશે.

મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, આ તેના કરિયરનો છેલ્લો દૌર ચાલી રહ્યો છે. હવે તે વૃદ્ધ થઈ ચૂક્યો છે. એ સિવાય એડને માર્કરમના શાનદાર કેચને લઈને પણ તેણે કહ્યું કે, તે ખોટી પોઝિશનમાં હતો, આ કારણે કેચ પકડી શક્યો. ઈયોન મોર્ગને મહેન્દ્ર સિંહ ધોનીના આ નિવેદનોને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે મેચ બાદ Jio સિનેમા પર વાતચીત કરવા દરમિયાન કહ્યું કે, ઇન્ટરવ્યૂથી આ મોટી વસ્તુ નીકળીને સામે આવી છે. તે જે વાત કરી રહ્યો હતો, તેનાથી ખબર પડે છે કે તે કયા પ્રકારની એનર્જી ફિલ્ડમાં લઈને આવે છે.

તેમણે જણાવ્યું કે, તેને આ ટીમને લીડ કરવામાં ખૂબ મજા આવી રહી છે. મેચ દરમિયાન તે ખૂબ એનિમેટેડ રહે છે. મેચ બાદ યુવા ખેલાડીઓ સાથે તે પોતાનો અનુભવ શેર કરી રહ્યો હતો. કેટલી વિનમ્રતા સાથે તેણે કહી દીધું કે તે ખોટી પોઝિશનમાં હતો, જ્યારે એમ નહોતું. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની જતો રહેશે ત્યારે તેની કમીનો અનુભવ તમને થશે. ખેલાડીઓને તેની ઉણપ વર્તાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધની મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, આ મારા કરિયરની અંતિમ ફેઝ છે એટલે જરૂરી છે કે હું તેનો લુપ્ત ઉઠાવું. ફેન્સે મને ખૂબ પ્રેમ અને સન્માન આપ્યું છે. હંમેશાં આ લોકો મોડે સુધી રોકાઈ રહે છે જેથી મને સાંભળી શકે.

જો મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સૌથી વધુ 34 રન અભિષેક વર્માએ બનાવ્યા હતા, જ્યારે બીજા ખેલાડી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. તો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બોલિંગ કરતા રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. 135 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 18.4 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ 77* રન બનાવ્યા હતા. 

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.