શ્રીલંકાના પૂર્વ ક્રિક્રેટરની ધરપકડ, વિદેશ જવા પર પ્રતિબંધ

એશિયા કપ 2023ની અત્યારે શ્રીલંકામાં ઇન્ટરનેશનલ મેચ ચાલી રહી છે ત્યારે શ્રીલંકાના એક પૂર્વ ક્રિક્રેટરની ધરપકડના અહેવાલોએ ક્રિક્રેટની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. આ ખેલાડીને વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ ખેલાડી પર લંકા પ્રીમિયર લીગમાં હેરાફેરી અને મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. આ ક્રિક્રેટરે આત્મસમર્પણ કરી દીધું છે.

શ્રીલંકન ટીમના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી સચિત્રા સેનાનાયકેની મેચ ફિક્સિંગના આરોપમાં 6 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકા માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર સેનાનાયકે પર વર્ષ 2020માં લંકા પ્રીમિયર લીગ (LPL) દરમિયાન મેચમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. તેણે કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે ઉશ્કેર્યા હતા. કોર્ટે 3 અઠવાડિયા પહેલા સેનાનાયકેના વિદેશ જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

સચિત્રા સેનાનાયકે શ્રીલંકાના સ્પોર્ટસ મંત્રાલયની વિશેષ તપાસ એકમ સામે આત્મસમર્પણ કરી લીધું હતું, તે પછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. શ્રીલંકાના આ પૂર્વ ક્રિક્રેટર પર એવો આરોપ છે કે તેણે ટેલિફોનના માધ્યમથી 2 ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે સંપર્ક કર્યો હતો. ગયા મહિનામાં આ કેસમાં કોલંબોની ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી શરૂ થતાની સાથે જ સેનાનાયક પર દેશ છોડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. મેચ ફિક્સિંહ પર પોતાની પર લાગેલા આરોપો ખોટો હોવાનું સેનાનાયકે કહી રહ્યો છે.

સચિત્રા સેનાનાયકે વર્ષ 2012માં આંતરારાષ્ટ્રીય ક્રિક્રેટમાં ડેબ્યૂ કર્યું હતું. એ પછી તેણે શ્રીલંકા માટે 49 વન-ડે મેચો રમી હતી. આટલી મેચોમાં તેની બેટીંગ એવરેજ 35.35 રહી હતી. જ્યારે તેણે 53 વિકેટો ઝડપી હતી. સેનાનાયકે શ્રીલંકા વતી કુલ 24 T-20 રમ્યો છે,જેમાં તેણે 25 વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી 1 ટેસ્ટ મેચ રમવાનો પણ સેનાનાયકેને મોકો મળ્યો હતો.

શ્રીલંકાએ જ્યારે વર્ષ 2014માં ભારત સામે જ્યારે T-20 વર્લ્ડકપમાં જીત મેળવી ગતી ત્યારે એ ટીમનો સચિત્રા સેનાનાયક હિસો હતો. સેનાનાયકે એ વર્લ્ડકપની મેચરમાં 6 મેચમાંથી 4 વિકેટ લીધી હતી. પોતાની આંતરરાષ્ટ્રીય કારકીર્દી દરમિયાન સેનાનાયકે પર શંકાસ્પદ બોલિંગ એક્શન માટે કેટલાંક મહિનાઓ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.IPLની મેચમાં પણ સેનાનાયકે કોલકાત્તા નાઇટ રાઇડર્સનો હિસ્સો રહ્યો છે અને 8 મેચોમાં તેણે 9 વિકેટ ઝડપી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.