જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ રન આઉટ પર ગંભીર અને અશ્વિન સામસામે, કોની વાત સાચી?

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ સિરીઝમાં બંને ટીમો પોતાની પુરી તાકાત લગાવી રહી છે. આ દરમિયાન ઘણી એવી ક્ષણો પણ જોવા મળી છે જેના પર ભારે હંગામો થયો છે. લોર્ડ્સ ટેસ્ટની ચોથી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટોને જે રીતે આઉટ કર્યો હતો તેના પર હોબાળો મચી ગયો છે.

ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા ગૌતમ ગંભીરે જોની બેયરસ્ટોના રન આઉટ પર પ્રતિક્રિયા આપતા ઓસ્ટ્રેલિયા પર નિશાન સાધ્યું છે. ટ્વિટર દ્વારા કાંગારુઓને સ્લેજર્સ ગણાવતા તેમણે કહ્યું કે, શું 'સ્પિરિટ ઓફ ધ ગેમ'ની ચર્ચા ફક્ત ભારત માટે જ લાગુ પડે છે તમારા માટે નહીં.

બીજી તરફ જોની બેયરસ્ટોના રન આઉટ પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનની વિચારસરણી ગૌતમ ગંભીરથી અલગ છે. તેણે ટ્વિટર દ્વારા કહ્યું કે, આવું કરવું ખોટું નથી. અશ્વિને ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર એલેક્સ કેરીની પણ પ્રશંસા કરી હતી જેણે જોની બેયરસ્ટોને રનઆઉટ કર્યો હતો.

અશ્વિને ટ્વિટર પર લખ્યું કે, કોઈ પણ વિકેટ કીપર જ્યાં સુધી વિરોધી ટીમના બેટ્સમેનને વારંવાર ક્રિઝની બહાર જતા ન જુએ, ત્યાં સુધી તે રન આઉટ કરવાનો પ્રયાસ નથી કરતો. બેયરસ્ટોને ઘણી વખત ક્રિઝની બહાર જોયા પછી જ ઓસ્ટ્રેલિયાએ તેને રન આઉટ કરવાનું મન બનાવી લીધું હશે.

લોર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોની બેરસ્ટો 10 રન બનાવીને રમી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનના બોલને ડક કર્યા બાદ તેણે વિકેટની પાછળ ઉભેલા ફિલ્ડરોને પૂછ્યા વગર જ ક્રિઝ છોડી દીધી અને બીજા છેડે ઉભેલા બેન સ્ટોક્સ સાથે વાત કરવા લાગ્યો. આ પછી, ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર એલેક્સ કેરીએ સ્ટમ્પ પર બોલને ફેંકીને અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો.

ICCના નિયમો અનુસાર, જ્યાં સુધી વિકેટ-કીપર અથવા કોઈપણ ફિલ્ડર અન્ય ખેલાડી અથવા અમ્પાયરને બોલ પરત ન કરે ત્યાં સુધી બોલને રમતમાં ગણવામાં આવે છે. સામાન્ય રીતે ઓવર સમાપ્ત થયા પછી, બેટ્સમેન વિકેટ કીપરની પરવાનગી લીધા પછી બીજા છેડે જાય છે, પરંતુ આ કિસ્સામાં જોની બેરસ્ટોએ તેમ કર્યું ન હતું.

એશિઝ શ્રેણી 2023માં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ લીડ્ઝના હેડિંગ્લે ખાતે 6 જુલાઈથી રમાશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.