ગંભીરના મતે વન-ડેમાં રોહિત સાથે રાહુલે નહીં આ બેટ્સમેને ઓપનિંગ કરવી જોઈએ

વર્ષ 2022માં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન એવરેજ રહ્યું છે, પરંતુ હવે નવા વર્ષની શરૂઆતમાં વન-ડે વર્લ્ડ કપ માટે એક નવી ટીમ તૈયાર કરવાનો પ્રયત્ન કરશે, જેની શરૂઆત શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝથી થશે. હાલમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમને વન-ડે સીરિઝમાં 2-1થી હાર ઝીલવી પડી હતી, જેના કારણે શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

દિગ્ગજ ઓપનર બેટ્સમેન શિખર ધવનને વન-ડે સીરિઝમાંથી બહાર કરી દીધો છે અને તેની જગ્યાએ ઇશાન કિશન અને શુભમન ગિલને ઓપનર બેટ્સમેનના વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરનું માનવું છે કે, રોહિત શર્મા સાથે ડાબા હાથના યુવા બેટ્સમેન ઇશાન કિશને ઓપનિંગ બેટિંગ કરવી જોઈએ અને આ મુદ્દા પર કોઈ ચર્ચા પણ ન થવી જોઈએ.

તેમણે આ સંદર્ભે એક સ્પોર્ટ્સ વેબસાઈટને કહ્યું કે, હું હેરાન છું કે આપણે તેના પર ચર્ચા કરી રહ્યા છીએ કેમ કે કોઈ બેટ્સમેને ગત ઇનિંગમાં બેવડી સદી બનાવી છે એટલે ઇશાન કિશન જ ઓપનર બેટ્સમેન હોવો જોઈએ. 35મી ઓવરમાં 200 રન બનાવી દીધા હતા એટલે તમે ઇશાન કિશનથી અગાળ કોઈને નહીં જોઈ શકો. ગૌતમ ગંભીરે કહ્યું કે, તેણે વધુ સમય આપવો પડશે. ગૌતમ ગંભીરે ઇશાન કિશનને લઈને કહ્યું કે, તે વિકેટ પાછળ પણ સારો સાબિત થઈ શકે છે એટલે તે તમારા માટે બે કામ કરી શકે છે.

તો મારા માટે તે ચર્ચા ન થવી જોઈએ. જો કોઈ બીજાએ બેવડી સદી બનાવી હોત તો મને લાગે છે કે, આપણે એ વ્યક્તિથી ખુશ હોત, પરંતુ ઇશાન કિશન સાથે આપણે ખુશ દેખાઈ રહ્યા નથી કેમ કે આપણે અત્યારે પણ અન્ય ખેલાડીઓ બાબતે વાત કરવાની ચાલુ રાખીએ છીએ. મારા માટે ઓપનિંગ બેટિંગની બહેસ સમાપ્ત થઈ ગઈ છે. ઇશાન કિશને બાંગ્લાદેશ વિરુદ્ધ 210 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધી T20 જેવી છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હોવા છતા ગૌતમ ગંભીરને લાગે છે કે સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર એક મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.

16 વન-ડે મેચોમાં સૂર્યકુમાર યાદવે માત્ર 2 અડધી સદીની મદદથી 384 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર બે ઇનિંગમાં તે 10નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. પોતાના બેટિંગ ઓર્ડર પર કહ્યું કે, રોહિત અને કિશન કિશન સિવાય કોઈ બીજાને ઇનિંગની શરૂઆત કરતા જોવું મુશ્કેલ છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી, ચોથા પર સૂર્યકુમાર યાદવ, પાંચમા નંબરે શ્રેયસ ઐય્યર કેમ કે છેલ્લા અઢી વર્ષમાં તે શાનદાર રહ્યો છે અને છઠ્ઠા નંબર પર હાર્દિક પંડ્યા સિવાય કોઈ બીજા તરફ નહીં જોઈ શકે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.