ગંભીરના મતે કોહલી અને આ ખેલાડી T20 WC 2024 રમવા માટે અનફીટ છે

On

ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને લઇ મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે જણાવ્યું કે, વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમમાં ફિટ બેસતા નથી. જો ભારતે ICC ઇવેન્ટ જીતવી હોય તો, ભારતીય ટીમ યુવા ખેલાડીઓ સાથે જાય. ભારત 3 જાન્યુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને આ સીરિઝ માટે આરામ આપ્યો છે.

જ્યારે માનવામાં આવી રહ્યું છે કે, રોહિત શર્માને આંગળીની ઇજા પૂરી રીતે સારી થાય તે માટે વધુ સમય જોઇએ છે. સીનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. એવામાં ભારતના પૂર્વ બેટ્સમેન અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગુરુવારે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, ટીમમાં સ્પષ્ટતા હોવી જોઇએ. સિલેક્ટર્સ અને ખેલાડીઓ વચ્ચે સારો સંવાદ હોવો જોઇએ. જો સિલેક્ટર્સે આ લોકો વિરુદ્ધ જોવાનો નિર્ણય લીધો છે તો સારું છે.

તેમણે કહ્યું કે, મને લાગે છે કે ઘણા બધા દેશોએ એમ કર્યું છે. તમે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની યોજનાઓ બાબતે વિચારી રહ્યા છો. તમે તેને જીતવા માગો છો. જો આ લોકો તેને હાંસલ કરી શક્યા નથી તો મને લાગે છે કે તમે તેમની સાથે જવાનું પસંદ કરશો. સૂર્યકુમાર યાદવ જેવી યુવા પેઢી એ સપનાંને હાંસલ કરવામાં મદદ કરી શકે છે. ગૌતમ ગંભીરે વર્ષ 2024ના વર્લ્ડ કપ માટે સ્પષ્ટ યોજનાઓની આવશ્યકતાઓ પર ભાર આપ્યો છે.

તેમણે કહ્યું કે, કે.એલ. રાહુલ અને વિરાટ કોહલીને એ યોજનાઓમાં ફિટ જોવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. અંગત રીતે જો તમે મને પૂછો તો એ મુશ્કેલ લાગે છે. સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન જેવા યુવા આપણી પાસે ઉપસ્થિત છે. હાર્દિક પંડ્યા, પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી અને સંજુ સેમસન જેવા ખેલાડીઓનો વિકલ્પ ઉપસ્થિત છે. તેઓ નીડર ક્રિકેટ રમી શકે છે. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, રિષભ પંતે હવે માત્ર ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવું જોઇએ.

ઇશાન કિશને સારું પ્રદર્શન કર્યું છે. દરેક ભારતીય ક્રિકેટને વધુ સાહસી અને નીડર જોવા માગે છે. આ લોકો સ્વાભાવિક રીતે રમી શકે છે. રિષભ પંતને એ અવસર મળ્યો છે એટલે ફરિયાદ નહીં કરી શકે. તેને 3-4-5-6 પર બેટિંગ કરવાનો અવસર મળ્યો છે. મેનેજમેન્ટે તેને માત્ર સફેદ બૉલ ક્રિકેટમાં સફળ થવાનો દરેક અવસર આપ્યો છે, પરંતુ તે એમ કરી શક્યો નથી, મને એમ લાગે છે કે તેણે રેડ બૉલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે, જે રિષભ માટે ખરાબ નથી.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati