ગંભીરના મતે કોહલી અને આ ખેલાડી T20 WC 2024 રમવા માટે અનફીટ છે

ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને લઇ મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે જણાવ્યું કે, વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમમાં ફિટ બેસતા નથી. જો ભારતે ICC ઇવેન્ટ જીતવી હોય તો, ભારતીય ટીમ યુવા ખેલાડીઓ સાથે જાય. ભારત 3 જાન્યુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને આ સીરિઝ માટે આરામ આપ્યો છે.

જ્યારે માનવામાં આવી રહ્યું છે કે, રોહિત શર્માને આંગળીની ઇજા પૂરી રીતે સારી થાય તે માટે વધુ સમય જોઇએ છે. સીનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. એવામાં ભારતના પૂર્વ બેટ્સમેન અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગુરુવારે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, ટીમમાં સ્પષ્ટતા હોવી જોઇએ. સિલેક્ટર્સ અને ખેલાડીઓ વચ્ચે સારો સંવાદ હોવો જોઇએ. જો સિલેક્ટર્સે આ લોકો વિરુદ્ધ જોવાનો નિર્ણય લીધો છે તો સારું છે.

તેમણે કહ્યું કે, મને લાગે છે કે ઘણા બધા દેશોએ એમ કર્યું છે. તમે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની યોજનાઓ બાબતે વિચારી રહ્યા છો. તમે તેને જીતવા માગો છો. જો આ લોકો તેને હાંસલ કરી શક્યા નથી તો મને લાગે છે કે તમે તેમની સાથે જવાનું પસંદ કરશો. સૂર્યકુમાર યાદવ જેવી યુવા પેઢી એ સપનાંને હાંસલ કરવામાં મદદ કરી શકે છે. ગૌતમ ગંભીરે વર્ષ 2024ના વર્લ્ડ કપ માટે સ્પષ્ટ યોજનાઓની આવશ્યકતાઓ પર ભાર આપ્યો છે.

તેમણે કહ્યું કે, કે.એલ. રાહુલ અને વિરાટ કોહલીને એ યોજનાઓમાં ફિટ જોવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. અંગત રીતે જો તમે મને પૂછો તો એ મુશ્કેલ લાગે છે. સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન જેવા યુવા આપણી પાસે ઉપસ્થિત છે. હાર્દિક પંડ્યા, પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી અને સંજુ સેમસન જેવા ખેલાડીઓનો વિકલ્પ ઉપસ્થિત છે. તેઓ નીડર ક્રિકેટ રમી શકે છે. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, રિષભ પંતે હવે માત્ર ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવું જોઇએ.

ઇશાન કિશને સારું પ્રદર્શન કર્યું છે. દરેક ભારતીય ક્રિકેટને વધુ સાહસી અને નીડર જોવા માગે છે. આ લોકો સ્વાભાવિક રીતે રમી શકે છે. રિષભ પંતને એ અવસર મળ્યો છે એટલે ફરિયાદ નહીં કરી શકે. તેને 3-4-5-6 પર બેટિંગ કરવાનો અવસર મળ્યો છે. મેનેજમેન્ટે તેને માત્ર સફેદ બૉલ ક્રિકેટમાં સફળ થવાનો દરેક અવસર આપ્યો છે, પરંતુ તે એમ કરી શક્યો નથી, મને એમ લાગે છે કે તેણે રેડ બૉલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે, જે રિષભ માટે ખરાબ નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.