ગંભીરના મતે પાકિસ્તાન સામે આ ખેલાડીને ન રમાડ્યો તો એ ભારતની મોટી ભૂલ હશે

એશિયા કપ 2023માં રોમાંચ ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. 2 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઇવોલ્ટેજ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, પરંતુ હવે ફરી એક વખત ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાનમાં સામસામે થવા તૈયાર છે. 10 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2023 હેઠળ સુપર-4ની ત્રીજી મેચ બંને ટીમો વચ્ચે રમાશે. આ મેચ અગાઉ પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે ભારતીય ટીમને મોટી સલાહ આપી છે.

ગૌતમ ગંભીરનું માનવું છે કે, જો 10 સપ્ટેમ્બરના રોજ ભારત વિરુદ્ધ ઇશાન કિશનને ટીમમાં જગ્યા ન મળી તો તે ભારતીય ટીમની સૌથી મોટી ભૂલ હશે. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, જે પ્રકારે ઈશાન કિશને પ્રદર્શન કર્યું છે, તેને જોતા ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા જરૂર મળવી જોઈએ. ગૌતમ ગંભીરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ કે.એલ. રાહુલને રમાડવાની ચર્ચા તેજ છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરવા દરમિયાન ગૌતમ ગંભીરે કહ્યું કે, ભારતીય ટીમ જો ઇશાન કિશનની જગ્યાએ કે.એલ. રાહુલને રમાડે છે તો પછી આ તેની સૌથી મોટી ભૂલ હશે.

ઇશાન કિશનને વધુ અવસર મળતા નથી, પરંતુ જ્યારે તેને અવસર મળે છે તો પછી તેની ઉપર દબાવ હોય છે. તેણે બેવડી સદી ફટકારી છે, એ છતા તેને વધુ અવસર મળ્યા નથી. ગૌતમ ગંભીરે હેરાની વ્યક્ત કરતા કહ્યું કે, વન-ડેમાં બેવડી સદી લગાવ્યા બાદ ઇશાન કિશનને આગામી સીરિઝ માટે ટીમમાં ન સિલેક્ટ કરવામાં આવ્યો. તે જે નંબર પર બેટિંગ કરે છે તે એક અલગ મુદ્દો છે, પરંતુ તે ખેલાડી વન-ડે ફોર્મેટને ખૂબ સારી રીતે સમજે છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ગ્રુપ-Aમાં પાકિસ્તાને 3માંથી 2 મેચ જીતી છે. એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, જેમાં તેને 1 પોઈન્ટ મળ્યો હતો. તો ભારતીય ટીમે અત્યાર સુધી 2 મેચ રમી છે. પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, જ્યારે બીજી મેચમાં નેપાળ વિરુદ્ધ 10 વિકેટે મોટી જીત મળી હતી. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરના રોજ મેચ રમાશે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે એ મેચમાં વરસાદ ફરી વિલન બને છે કે નહીં. અને જો વરસાદ વિલન નથી બનતો તો એ મેચ કોણ જીતશે? પરંતુ એ તો 10 તારીખે જ ખબર પડશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.