નેપાળ સામે ઓપનિંગમાં રોહિતના સ્થાને આ જોડીને જોવા માગે છે ગૌતમ ગંભીર

એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાની બીજી મેચ આજે નેપાળ સામે છે. સુપર-4માં પહોંચવા માટે રોહિત એન્ડ કંપનીએ નેપાળને હરાવવું પડશે. ભારતીય ટીમની પાકિસ્તાન સામેની મેચ વરસાદમાં ધોવાઇ હતી. ગૌતમ ગંભીરે નેપાળ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં ફેરબદલ કરવાની આશા વ્યક્ત કરી છે. ગંભીરનું કહેવું છે કે શુભમન ગિલ અને ઈશાન કિશને ઓપનર્સ તરીકે શરૂઆત કરવી જોઇએ. ઈનિંગની શરૂઆત રોહિત શર્માએ નહીં પણ ઈશાન કિશને કરવી જોઇએ.

ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, મને લાગે છે કે ઈશાન કિશને શુભમન ગિલની સાથે ઓપન કરવું જોઇએ. એવામાં જો રોહિત નંબર 3 રમવા માગે તો રમી શકે છે. વિરાટ કોહલી નંબર 4 પર બેટિંગ કરે કે આનાથી વિપરિત પણ કરી શકે છે. તમારે હમેશા યુવા ખેલાડીને એ પોઝિશન પર બેટિંગ કરાવવી જોઇએ, જેના પર તે સહજ અનુભવ કરતો હોય.

પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, તમે આ વાત પર ખુલ્લીને ચર્ચા કરી શકો છો કે રોહિત અને ગિલની ઓપનિંગ જોડી વધારે સેટલ્ડ છે. ત્યાર પછી સામાન્ય રીતે વિરાટ કોહલી નંબર 3 અને અય્યર નંબર 4 પર રમે છે. જોકે હાલમાં તમે ઈશાન કિશનના ફોર્મને જુઓ. તેના નામે વનડેમાં ડબલ સેન્ચ્યુરી છે. તેણે ઓપનિંગ કરતા છેલ્લા પ્રવાસે સતત 3 હાફ સેન્ચ્યુરી કરી છે.

પાકિસ્તાન સામેની મેચમાં ઈશાન કિશને ખૂબ જ સરસ બેટિંગ કરી હતી. નંબર પાંચ પર પહેલી વાર રમતા ઈશાને 82 રનની યાદગાર ઈનિંગ રમી હતી. લેફ્ટ હેન્ડ બેટ્સમેને આ ઈનિંગ એવા સમયે રમી જ્યારે ભારતીય ટીમ 66 રને 4 વિકેટ ગુમાવી બેઠી હતી અને સંઘર્ષ કરી રહી હતી. જોકે ઈશાન કિશન સેન્ચ્યુરી ચૂકી ગયો હતો. 

પાકિસ્તાનના બોલર હરિશ રાઉફે ઈશાન કિશનની વિકેટ લીધી હતી. રાઉફની બોલ પર ઈશાન તેના શોટને કન્ટ્રોલ કરી શક્યો નહીં અને બોલ તેની બેટની અંદરના કિનારાને લાગી હવામાં ગયો. કેપ્ટન બાબર આઝમે ભૂલ કર્યા વિના કેચ પકડી લીધો. ઈશાનને આઉટ કર્યા પછી હેરિશ રઉફે મેદાનમાં તેના તેવર દેખાડ્યા અને તેણે હાથથી ઈશાન બાજુ ઈશારો કર્યો હતો.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.