ધોની નહીં યુવરાજ સિંહના દમ પર ભારતે જીત્યો હતો વર્લ્ડ કપ: ગૌતમ ગંભીર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર મોટા ભાગે પોતાના વિચારો ખૂલીને સામે રાખે છે. ફરી એક વખત એવું જ જોવા મળ્યું છે. ગૌતમ ગંભીરે વર્ષ 2007ના T20 વર્લ્ડ કપ અને વર્ષ 2011ના વન-ડે વર્લ્ડ કપને યાદ કરીને યુવરાજ સિંહને ટૂર્નામેન્ટનો સૌથી મોટો ખેલાડી બતાવ્યો છે. ગૌતમ ગંભીરનું માનવું છે કે, યુવરાજ સિંહને પોતાના પ્રદર્શન માટે એટલી પ્રશંસા ન મળી, જેટલી મળવી જોઈતી હતી.

આ દરમિયાન તેણે બોલ્ડ નિવેદન આપતા ફરી એક વખત એમ કહ્યું કે, ભારત માત્ર મહેન્દ્ર સિંહ ધોનીના કારણે વર્લ્ડ કપ જીત્યું નથી, જો એવો કોઈ ખેલાડી છે તો તે યુવરાજ સિંહ છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, ‘જ્યારે આપણે વર્ષ 2007ના વર્લ્ડ કપની વાત કરીએ છીએ તો યુવરાજ સિંહનું નામ લેતા નથી. જ્યારે વર્ષ 2011ના વર્લ્ડ કપની વાત કરીએ છીએ તો પણ યુવરાજ સિંહનું નામ લેતા નથી. કેમ નથી લેતા? કેમ કે આ બધું માત્ર માર્કેટિંગ, PR અને એક વ્યક્તિને સૌથી મોટો દેખાડવા માટે કરવામાં આવે છે.

તમને ખબર છે કે, વારંવાર આપણને એમ કહેવામાં આવે છે કે વર્ષ 2007 અને વર્ષ 2011નો વર્લ્ડ કપ ભારતને કોણે જીતાડ્યો છે. કોઈ પણ એક ખેલાડી ટીમને વર્લ્ડ કપ નહીં જીતાડી શકે. તેને આખી ટીમે જીતાડ્યો છે. તેણે આગળ કહ્યું કે, એમ હોત તો આજે ભારત 5 કે 10 વર્લ્ડ કપ જીતી ચૂક્યું હોત. મારું માનવું છે કે, યુવરાજ સિંહ ભારતની ક્રિકેટનો સૌથી અંડરરેટેડ ખેલાડી છે. કદાચ 2 વર્લ્ડ કપ કોઈએ ભારતના જીતાડ્યા છે તો તે યુવરાજ સિંહ છે. તે ભારત માટે વ્હાઇટ બોલ ક્રિકેટનો સૌથી મોટો ખેલાડી હતો.

મારું માનવું છે કે T20 વર્લ્ડ કપ કે વર્લ્ડ કપમાં કોઈ ટીમને ફાઇનલ સુધી લઈને આવ્યું તો તે યુવરાજ સિંહ હતો. બંને ટૂર્નામેન્ટ્સમાં તે કદાચ મેન ઓફ ધ ટુર્નામેન્ટ હતો. મેં તેનાથી વધારે ટેલેન્ટેડ ખેલાડી ભારતમાં આજ સુધી જોયો નથી. એટલું જ નહીં, ગૌતમ ગંભીરનું એવું પણ માનવું છે કે, ભારતમાં ટીમથી ઉપર ખેલાડીને જોવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં બ્રૉડકાસ્ટ અને મીડિયા આખો દિવસ માત્ર એક ખેલાડી પર ફોકસ રાખે છે અને પછી એમ કહે છે કે બીજા ખેલાડી અંડરરેટેડ છે.

ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરની આ વાત ઘણી હદ સુધી સાચી નજરે પડે છે કેમ કે સોશિયલ મીડિયા પર મોટા ભાગે IPL દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફેન્સ એક-બીજા સાથે લડતા નજરે પડે છે. મોટા ટૂર્નામેન્ટ્સ અગાઉ પણ માત્ર કેટલાક ખેલાડીઓ પર વાત કરીને હુકમનો એક્કો બતાવવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.