પાકિસ્તાની કેપ્ટન બાબર પર ગુસ્સે થયા ગંભીર, હાર માટે આ વસ્તુને ઠેરવી જવાબદાર

શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાની ટીમને જે પ્રકારે હારનો સામનો કરવો પડ્યો, તેને લઈને ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટીમને મળેલી હાર માટે બાબર આઝમની ખરાબ કેપ્ટન્સીને જવાબદાર ઠેરવી છે. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, બાબર આઝમની કેપ્ટન્સી એટલી સારી રહી નથી અને આ જ કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકા વિરુદ્ધ એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો અને તેની સાથે જ પાકિસ્તાની ટીમ એશિયા કપ 2023થી બહાર થઈ ગઈ છે.

પાકિસ્તાની ટીમને ભારત અને શ્રીલંકા બંને જ ટીમો સામે સતત હારનો સામનો કરવો પડ્યો. તેની સાથે જ ફાઇનલ પહોંચવાનું તેનું સપનું તૂટી ગયું. વરસાદના કારણે મેચ 42-42 ઓવરોની કરવામાં આવી હતી, પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકન ટીમે અપાયેલો ટારગેટને અંતિમ બૉલ પર 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. અંતિમ ઓવરમાં જીત માટે શ્રીલંકાને 8 રનની જરૂરિયાત હતી અને તેને તેણે હાંસલ કરી લીધો. સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરવા દરમિયાન ગૌતમ ગંભીરે બાબર આઝમની કેપ્ટન્સીને લઈને તીખી પ્રતિક્રિયા આપી.

તેમણે કહ્યું કે, મારા હિસાબે કેપ્ટન્સી ખૂબ ખરાબ રહી. જમાન ખાનની ઓવરમાં મીડ ઓફની ઉપર ચોગ્ગો લાગી ગયો હતો અને શાહીન આફ્રિદીની ઓવરમાં પણ મીડ ઓફ ઉપરથી જ ચોગ્ગો જતો રહ્યો હતો. આ બંને જ બૉલ ધીમી ગતિથી નાખવામાં આવ્યા હતા. જો તમે સ્લોઅર વન નાખવા માગો છો તો પછી મીડ ઓફના ફિલ્ડરને લોંગ ઓફ ઉપર રાખવો જોઈએ અને થર્ડ મેનને અંદર લાવવો જોઈએ. એ ખૂબ સિમ્પલ કેપ્ટન્સી છે. વિચારો જો અંતિમ ઓવરમાં 13 રન બનાવવા હોતા તો પછી શ્રીલંકાને પરેશાનીનો સામનો કરવો પડતો.

ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનન કેપ્ટને એ શીખવાની જરૂરિયાત છે કે તેણે કેટલીક અંતિમ ઓવરોમાં વિકેટ પાછળ જવાની જરૂરિયાત નથી. તેણે T20 જેવી ફિલ્ડિંગ રાખીને દબાવ બનાવી રાખવા પર ધ્યાન આપવું જોઈતું હતું અને જો એ બે બાઉન્ડ્રી ન આપવામાં આવી હોત તો પરિણામ કંઈક અલગ થઈ શકતું હતું. મેચની વાત કરીએ તો વરસાદથી બાધિત મેચમાં પાકિસ્તાને 42 ઓવરમાં 252 રનોનો સ્કોર ઊભો કર્યો હતો. તો શ્રીલંકન ટીમે આ રન ચેઝ અંતિમ બૉલ પર કરીને જીત હાંસલ કરવા સાથે જ એશિયા કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.