કે.એલ. રાહુલને મળ્યો ગૌતમ ગંભીરનો સાથ, સમર્થનમાં કહી દીધી આ વાત

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કે.એલ. રાહુલની બેટ ઘણા સમયથી શાંત છે. રાહુલના ખરાબ ફોર્મના કારણે સતત પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યા પર સવાલ ઉઠી રહ્યા છે. ઘણા દિગ્ગજોએ તેને ટીમાંથી બહાર કરવાની પણ વાત કહી છે. આ દરમિયાન કે.એલ. રાહુલને પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરનો સાથ મળ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર ગૌતમ ગંભીરને આશા છે કે કે.એલ. રાહુલ સારું પ્રદર્શન કરશે.

ગૌતમ ગંભીરે કહ્યું કે, જે લોકોએ રાહુલના ખરાબ પ્રદર્શ પર પ્રહાર કર્યો છે તેઓ એ વાતથી અજાણ છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કેટલી મુશ્કેલ હોય શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, ખેલાડીનું સમર્થન કરવું આવશ્યક છે અને તેમણે કે.એલ. રાહુલના સમર્થન માટે કેપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે, ક્યારેક ક્યારેક તમે કોઇની પ્રતિભાનું સમર્થન કરો છો. હું રોહિત શર્માના વખાણ કરું છું કે તેનું સમર્થન કરી રહ્યો છે.

રોહિત શર્મા પણ શરૂઆતી દિવસમાં એવી જ સ્થિતિમાં હતો, જ્યારે તે વધારે રન બનાવી શકતો નહોતો, પરંતુ તેને ઘણા ચાંસ મળ્યા અને હવે જુઓ તે ક્યાં છે એટલે તે કે.એલ. રાહુલ બાબતે જાણે છે અને હું રોહિત શર્માના નિર્ણયનું સમર્થન કરું છું. ગૌતમ ગંભીરે કહ્યું કે, આપણે આ સીરિઝમાં 2-0થી આગળ છીએ, પાછળ નથી. મારું માનવું છે કે તેને આગામી 2 ટેસ્ટમાં ચાન્સ આપવો જોઈએ અને તે સારું પ્રદર્શન કરશે.

બીજી ટેસ્ટ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, રાહુલની બેટિંગ બાબતે ઘણી વાત થઇ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટના રૂપમાં અમે હંમેશાં કોઇ પણ વ્યક્તિની ક્ષમતા જોઇએ છીએ, ન કે માત્ર ભૂતકાળમાં કરવામાં આવેલા પ્રદર્શનને જોઇએ છીએ. જો એ વ્યક્તિમાં ક્ષમતા છે તો તેને એક ચાંસ મળશે. ઇંગ્લેન્ડમાં રમવું કોઇ સરળ કામ હોતું નથી અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું. અહીં સુધી કે સેન્ચુરિયનમાં પણ શાનદાર પ્રદર્શન હતું. બંને પ્રદર્શનોના કારણે ભારતે બંને મેચ જીતી હતી. છતા તેની ક્ષમતા બાબતે વાત કરવામાં આવી છે, પરંતુ અમારી તરફથી એ સ્પષ્ટ હતું કે તેને મેદાન પર પોતાની રમત રમવાની જરૂરિયાત છે.

તેમાં કોઇ શંકા નથી કે જ્યારે તમે આ પ્રકારની પીચો પર રમી રહ્યા છો તો તમારે રન બનાવવાની પોતાની રીત શોધવાની જરૂરિયાત છે.અમે એ જોતા નથી કે કોઇ ખેલાડીના રૂપમાં શું કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કે.એલ. રાહુલ લાંબા સમયથી પોતાના બેટથી મોટી ઇનિંગ રમી શક્યો નથી. તેણે છેલ્લી વખત વર્ષ 2021ના અંતમાં દક્ષિણ આફ્રિકામાં સદી બનાવી હતી. સતત તેનું પ્રદર્શન ખરાબ રહેવાના કારણે રાહુલે ટેસ્ટમાં પોતાની કેપ્ટન્સી ગુમાવી દીધી છે. જો કે, તેને ઈન્દોર અને અમદાવાદ ટેસ્ટ સ્ક્વોડમાં જગ્યા મળી છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે તે પ્લેઇંગ ઇલેવનમાં પોતાની જગ્યા યથાવત રાખી શકે છે કે નહીં.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.