આફ્રિદીનો લવારો- ભારત જાઓ વર્લ્ડ કપ જીતો,એ BCCIના મોંઢા પર તમાચો હશે

પાકિસ્તાન ક્રિક્રેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદી આફ્રિદીએ ફરી લવારો કર્યો છે,આફ્રિદીએ પાકિસ્તાન ક્રિક્રેટ ટીમને ઉદ્દેશીને કહ્યું કે,ભારત જાઓ,વર્લ્ડકપ જીતો,એ BCCIના મોંઢા પર તમાચો મારવા જેવું હશે.

વિશ્વ ક્રિકેટમાં આ સમયે ભારત અને પાકિસ્તાન બોર્ડ વચ્ચે સતત નિવેદનનો તબક્કો ચાલી રહ્યો છે. બંને બોર્ડ એશિયા કપની યજમાનીને લઈને આમને સામને છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પહેલાથી જ પાકિસ્તાનમાં એશિયા કપ યોજાય તો ત્યાં પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો છે.હવે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ BCCI પર નિશાન સાધ્યું છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયા કપના આયોજન માટે હાઇબ્રિડ મોડલ પણ રજૂ કર્યું હતું. પરંતુ એકંદરે તેને નિરાશાનો સામનો કરવો પડ્યો. હવે શાહિદ આફ્રિદીએ PCB અધ્યક્ષ નજમ સેઠીના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાને ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમવા જવું જોઈએ અને જીતીને પરત ફરવું જોઈએ. તે BCCIના મોઢા પર તમાચો મારવા જેવું હશે.

શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ટીવી ચેનલ સમા ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નજન શેઠીએ એ વાત સમજવી જોઇએ કે PCB ચેરમેનની ખુરશીનું મહત્ત્વ કેટલું છે અને તેમની જવાબદારી શી છે. તેમણે પોતાના નિવેદનોને વારંવાર બદલવાથી બચવું જોઇએ. તેમણે એશિયા કપના આયોજનને લઇને બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાની જરૂરત નથી.

પાકિસ્તાની ક્રિક્રેટર શાહીદી આફ્રિદીએ પોતાના નિવેદનમાં આગળ કહ્યુ કે પાકિસ્તાન ક્રિક્રેટ બોર્ડના ચેરમેન એવી વ્યકિતને બનાવવા જોઇએ જેઓ પોતાનું નિવેદન વારંવાર ન બદલે.તેમનું મુદ્દા પર સ્પષ્ટ વલણ હોવું જોઇએ. હવે વન-ડે વર્લ્ડકપને લઇને ભારતમાં આપણી ટીમ ન મોકલવી એ સમજ બહારની વાત છે. જો ક્રિક્રેટ રમાઇ રહી હોય તો આપણે આપણી ટીમ મોકલવી જ જોઇએ.ભારતમાં હોય કે ગમે ત્યાં હોય પાકિસ્તાન ક્રિક્રેટને મોકલવી જોઇએ. તમારે ત્યાં જઇને ટ્રોફી જીતીને પાછા આવવાનું છે એનાથી બીજી કોઇ મોટી વાત ન હોય શકે. આ એક રીતે તેમના મોંઢા પર તમાચો મારવા જેવી વાત હશે એમ આફ્રિદીએ કહ્યું હતું.

પૂર્વ પાકિસ્તાન ક્રિક્રેટ ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીનું માનવું છે કે ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપ માટે પાકિસ્તાની ક્રિક્રેટ ટીમને મંજૂરી આપવી જોઇએ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.