આફ્રિદીનો લવારો- ભારત જાઓ વર્લ્ડ કપ જીતો,એ BCCIના મોંઢા પર તમાચો હશે

પાકિસ્તાન ક્રિક્રેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદી આફ્રિદીએ ફરી લવારો કર્યો છે,આફ્રિદીએ પાકિસ્તાન ક્રિક્રેટ ટીમને ઉદ્દેશીને કહ્યું કે,ભારત જાઓ,વર્લ્ડકપ જીતો,એ BCCIના મોંઢા પર તમાચો મારવા જેવું હશે.

વિશ્વ ક્રિકેટમાં આ સમયે ભારત અને પાકિસ્તાન બોર્ડ વચ્ચે સતત નિવેદનનો તબક્કો ચાલી રહ્યો છે. બંને બોર્ડ એશિયા કપની યજમાનીને લઈને આમને સામને છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પહેલાથી જ પાકિસ્તાનમાં એશિયા કપ યોજાય તો ત્યાં પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો છે.હવે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ BCCI પર નિશાન સાધ્યું છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયા કપના આયોજન માટે હાઇબ્રિડ મોડલ પણ રજૂ કર્યું હતું. પરંતુ એકંદરે તેને નિરાશાનો સામનો કરવો પડ્યો. હવે શાહિદ આફ્રિદીએ PCB અધ્યક્ષ નજમ સેઠીના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાને ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમવા જવું જોઈએ અને જીતીને પરત ફરવું જોઈએ. તે BCCIના મોઢા પર તમાચો મારવા જેવું હશે.

શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ટીવી ચેનલ સમા ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નજન શેઠીએ એ વાત સમજવી જોઇએ કે PCB ચેરમેનની ખુરશીનું મહત્ત્વ કેટલું છે અને તેમની જવાબદારી શી છે. તેમણે પોતાના નિવેદનોને વારંવાર બદલવાથી બચવું જોઇએ. તેમણે એશિયા કપના આયોજનને લઇને બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાની જરૂરત નથી.

પાકિસ્તાની ક્રિક્રેટર શાહીદી આફ્રિદીએ પોતાના નિવેદનમાં આગળ કહ્યુ કે પાકિસ્તાન ક્રિક્રેટ બોર્ડના ચેરમેન એવી વ્યકિતને બનાવવા જોઇએ જેઓ પોતાનું નિવેદન વારંવાર ન બદલે.તેમનું મુદ્દા પર સ્પષ્ટ વલણ હોવું જોઇએ. હવે વન-ડે વર્લ્ડકપને લઇને ભારતમાં આપણી ટીમ ન મોકલવી એ સમજ બહારની વાત છે. જો ક્રિક્રેટ રમાઇ રહી હોય તો આપણે આપણી ટીમ મોકલવી જ જોઇએ.ભારતમાં હોય કે ગમે ત્યાં હોય પાકિસ્તાન ક્રિક્રેટને મોકલવી જોઇએ. તમારે ત્યાં જઇને ટ્રોફી જીતીને પાછા આવવાનું છે એનાથી બીજી કોઇ મોટી વાત ન હોય શકે. આ એક રીતે તેમના મોંઢા પર તમાચો મારવા જેવી વાત હશે એમ આફ્રિદીએ કહ્યું હતું.

પૂર્વ પાકિસ્તાન ક્રિક્રેટ ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીનું માનવું છે કે ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપ માટે પાકિસ્તાની ક્રિક્રેટ ટીમને મંજૂરી આપવી જોઇએ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.