સેહવાગનો ચોંકાવનારો ખુલાસો, બોલ્યો-કોહલીના કારણે હું આ રેકોર્ડ ન બનાવી શક્યો

ભારતીય ટીમના પૂર્વ ઑપનર બેટ્સમેન વિરેન્દર સેહવાગે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, એક વખત વિરાટ કોહલીના કેચ ડ્રોપ કરવાના કારણે તે બોલિંગમાં એક મહત્ત્વનો રેકોર્ડ બનાવી શક્યો નહોતો અને એ સમયે તેને વિરાટ કોહલી ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હતો. વિરેન્દર સેહવાગે પોતાના ક્રિકેટ કરિયરમાં ઘણા બધા રન બનાવ્યા છે. તે પોતાના જમાનાનો વિસ્ફોટક બેટ્સમેન હતો અને પહેલા જ બૉલથી બોલરો પર આક્રમણ કરવા માટે જાણીતો હતો.

તેણે પોતાના ક્રિકેટ કરિયરમાં ખૂબ શાનદાર વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે. પાકિસ્તાન વિરુદ્ધ મુલ્તાનમાં તેની ત્રિપલ સેન્ચુરીને ભલું કોણ ભૂલી શકે છે, જ્યારે તેણે પાકિસ્તાની બોલરોને ધોઇ નાખ્યા હતા. વિરેન્દર સેહવાગની અંદર સૌથી મોટી વિશેષતા એ હતી કે તે આઉટ થતા બિલકુલ ડરતો નહોતો અને સતત ફોર અને સિક્સ લગાવવામાં વિશ્વાસ રાખતો હતો. આ કારણે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ ઘણી મોટી ઇનિંગ્સ રમી છે. એ સિવાય વિરેન્દર સેહવાગ બોલિંગ પણ સારી રીતે કરતો હતો.

તેણે એક યુટ્યુબ ચેનલ સાથે વાતચીત કરવા દરમિયાન તેણે કહ્યું કે, મને જાદુ બાબતે ખબર નથી, પરંતુ પોતાની બોલિંગથી મેં દુનિયાના ઘણા શાનદાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રિકી પોન્ટિંગ, મેથ્યૂ હેડન, માઇકલ હસી, કુમાર સંગાકારા, મહેલા જયવર્ધને, તિલકરત્ને દિલશાન અને બ્રાયન લારા સહિત ઘણા ટોપ બેટ્સમેન હતા. એક વખત મેં એડમ ગિલક્રિસ્ટને પર્થમાં આઉટ કર્યા હતા. વિરેન્દર સેહવાગે આગળ કહ્યું કે, એક વખત વિરાટ કોહલીએ મારા બૉલ પર મિડવિકેટ પર સરળ કેસ ડ્રોપ કરી દીધો હતો અને તેનાથી મને ખૂબ દુઃખ થયું હતું.

સેહવાગે કહ્યું કે, હું કદાચ બોલિંગના કેટલાક મોટા આંકડા પર પહોંચવાનો હતો, પરંતુ વિરાટ કોહલીએ કેચ ડ્રોપ કરી દીધો. હું એ સમયે ખૂબ નારાજ થયો હતો. કદાચ એટલો નારાજ હું ત્યારે ન થયો, જ્યારે મેં પોતાની પહેલી ત્રિપલ સેન્ચુરી મિસ કરી દીધી હતી. જો વિરેન્દર સેહવાગના ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 104 ટેસ્ટ, 251 વન-ડે અને 19 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે ક્રમશઃ 8586, 8273 અને 394 રન બનાવ્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.