હદ થઇ ગઈ,જે ખુદ અપમાનિત થઈને ટીમની બહાર નીકળ્યો તે હવે રોહિત શર્માને સલાહ આપે છે

માણસના દિવસો જ્યારે સારા ન ચાલી રહ્યા હોય, તો પછી જે કદાચ એટલા સક્ષમ નથી હોતા તેઓ પણ સલાહ આપવાનું શરૂ કરી દે છે. હવે તમે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલને જ લો. તેણે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને એક અજીબ સલાહ આપી છે, જે દરેક બાબતમાં તેના કરતા સારી પોઝિશન પર છે. હકીકતમાં, ભારતે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું છે, BCCIએ આ સપ્તાહની શરૂઆતમાં ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમોની જાહેરાત કરી દીધી હતી.

રોહિત શર્મા બંને ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે અજિંક્ય રહાણે અને હાર્દિક પંડ્યા અનુક્રમે ટેસ્ટ અને વનડેમાં તેના વાઇસ કેપ્ટન હશે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં બેટ સાથે ખરાબ પ્રદર્શન પછી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમનું વિશ્લેષણ કરતી વખતે પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર કામરાન અકમલે એક મોટું નિવેદન આપ્યું છે.

કામરાન અકમલે કહ્યું કે, ભારતના સુકાની રોહિત શર્માએ ભારતના ટેસ્ટ સુકાની તરીકે તેના ટૂંકા કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેણે તેના પુરોગામી વિરાટ કોહલીની જેમ મેદાન પર થોડી વધુ સત્તા બતાવવાની જરૂર છે. તેણે કહ્યું, આ એક સંતુલિત ટીમ છે. ભારતીય ટીમને સારી શરૂઆતની જરૂર છે. હું ઈચ્છું છું કે રોહિત શર્મા એક સુકાની તરીકે વધુ સારું પ્રદર્શન કરે.

સલાહ આપતા તેણે કહ્યું, મેદાન પર તમારી હાજરી બતાવો, જેવી રીતે વિરાટ કોહલી કરતો હતો. તેને તક મળી છે. આ સાથે કામરાને કહ્યું, હંમેશા એક કે બે ખેલાડીઓને લઈને ચર્ચા થતી રહેતી હોય છે. રેકોર્ડ જોઈને મારા મગજમાં જે એક ખેલાડી આવે છે તે છે સરફરાઝ ખાન. તેના માટે રમવું શક્ય નહોતું, પરંતુ તેણે ટીમ સાથે પ્રવાસ કરવો જોઈતો હતો. તમે તેમને તક આપી શક્યા હોત.

અત્રે ઉલ્લેખનીય છે કે, કામરાન અકમલ પાકિસ્તાનના તે ખેલાડીઓમાંથી એક છે, જેમને એક રીતે અપમાનિત કરીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી તે ટીમમાં પ્રવેશ માટે કતારમાં ઉભો રહ્યો, પરંતુ PCBએ તેની તરફ જોયું પણ નહીં.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.