કેપ્ટન્સી મળતા જ રોહિત શર્માને ભૂલ્યો હાર્દિક પંડ્યા? આપી દીધું આ નિવેદન

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 અને એટલી જ મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. તેની શરૂઆત 3 જાન્યુઆરી એટલે કે આજથી T20 મેચથી શરૂ થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. T20 સીરિઝ માટે ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળવાનો છે. આ અનુસંધાને હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપ 2023ને લઇને એક મોટી પ્રતિક્રિયા આપી દીધી છે.

આજથી શરૂ થનારી T20 સીરિઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટન્સી કરવા જઇ રહ્યો છે. આ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ત્રીજી સીરિઝ થવાની છે. આ સીરિઝ જીતવા માટે તે ભરપૂર પ્રયાસ કરવાનો છે. ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓના ખભે તેની જવાબદારી રહેવાની છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ આ વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ 2023ની તૈયારીઓને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરતા કહ્યું કે, વર્લ્ડ કપ જીતવો એ નવા વર્ષનો સૌથી મોટો સંકલ્પ છે.

તેની આ વાતે સ્પષ્ટ કરી દીધું છે કે, હાર્દિક પંડ્યા આ વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ પર નજર જમાવીને બેઠો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સીરિઝની શરૂઆત આજથી થવાની છે. આ સીરિઝમાં ભારતીય ટીમની આગેવાની હાર્દિક પંડ્યા કરવાનો છે. આ દરમિયાન શ્રીલંકાની ટીમે મુંબઇમાં પહોંચીને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો ભારતીય ખેલાડી મેચ અગાઉ મેદાન પર ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છે. રોહિત શર્મા ન હોવાથી કેપ્ટન હાર્દિક પંડ્યા સામે ઓપનિંગની સમસ્યા રહેવાની છે. તો મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનનું રમવાનું પાક્કું છે. તો તેની સામે બોલર પસંદ કરવાની પણ સમસ્યા ઊભી થવાની છે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

શ્રીલંકાના ભારત પ્રવાસ પર T20 સીરિઝનું શિડ્યૂલ:

પહેલી T20 મેચ: 3 જાન્યુઆરી, મુંબઇ.

બીજી T20 મેચ: 5 જાન્યુઆરી, પૂણે.

ત્રીજી T20 મેચ: 7 જાન્યુઆરી, રાજકોટ.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.