હાર્દિક પંડ્યાએ ખોલી પાકિસ્તાનની પોલ- એક એક કરીને ગણાવી ભૂલો, બોલ્યો-તેઓ જીતવા..

ભારતીય ટીમે પાકિસ્તાનને વર્લ્ડ કપ મેચમાં ફરી એક વખત હરાવી દીધી. ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાની ટીમને 7 વિકેટે હરાવી દીધી. ભારતીય ટીમનો પાકિસ્તાન પર કેવો દબદબો રહ્યો હશે, તેનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે તેણે આ મેચ 30.3 ઓવરમાં જ જીતી લીધી. પાકિસ્તાનની ટીમ આ મેચમાં એક સમયે 2 વિકેટ ગુમાવીને 155 રન બનાવીને મજબૂતીથી આગળ વધી રહી હતી, પરંતુ ભારતીય બોલરોએ પલટવાર કરતા તેને 191 રન પર જ ઢેર કરી દીધી.

અંતે આ કમાલ કઇ રીતે થઈ. મેચ બાદ આ સવાલનો જવાબ હાર્દિક પંડ્યાએ વિસ્તારથી આપ્યો. મેચમાં 2 વિકેટ લેનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનની એક એક કરીને બધી પોલ ખોલી દીધી. હાર્દિક પંડ્યાએ મેચ બાદ ઈરફાન પઠાણ અને ગૌતમ ગંભીર સાથે વાત કરી. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, પાકિસ્તાનની ટીમે સારી શરૂઆત કરી હતી, પરંતુ કદાચ તેઓ થોડા ડરીને રમી રહ્યા હતા એટલે પાકિસ્તાની બેટ્સમેનોએ એવી ભૂલો કરી જે વન-ડે મેચોમાં આશા કરવામાં આવતી નથી.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે, જ્યારે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સારી પાર્ટનરશિપ કરી રહ્યા હતા, ત્યારે પણ તેઓ ભારતીય બોલરો પર એટેક કરી રહ્યા નહોતા. પાકિસ્તાની બેટ્સમેનોએ ઘણા બધા ડોટ બૉલ રમ્યા. તેમણે એટેક કરવાનો જરાય પ્રયાસ ન કર્યો. એક પ્રકારે તેમને ભારતીય બોલર્સને સેટ થવાનો અવસર આપ્યો. પાકિસ્તાની બેટ્સમેનોએ જે રમત દેખાડી તે વન-ડે મેચોમાં ચાલતી નથી. જો લાંબી પાર્ટનરશિપ હોય અને બંને જ બેટ્સમેન રિસ્ક ન લો તો તેનાથી બોલર્સને વાપસી કરવાનો અવસર મળે છે.

હાર્દિકે આગળ કહ્યું કે, જ્યારે પણ એવી પાર્ટનરશિપ તૂટે છે તો બોલર્સને પલટવાર કરવાનો અવસર મળે છે. જો તેઓ (પાકિસ્તાની બેટ્સમેન) થોડી નીડરતા દેખાડતા તો સ્થિતિ કદાચ કંઈક અલગ થઈ શકતી હતી, પરંતુ એમ લાગ્યું કે તેઓ જીતવા માટે રમી રહ્યા નહોતા. ગૌતમ ગંભીર, ઈરફાન પઠાણ અને પાકિસ્તાની દિગ્ગજ વકાર યુનુસે માન્યું કે જ્યારે બાબર આઝમ અને  મોહમ્મદ રિઝવાન બેટિંગ કરી રહ્યા હતા, જ્યારે આ બંનેમાંથી કોઈ એક બેટ્સમેને આક્રમક હોવું જોઈતું હતું, પરંતુ બાબર કે રિઝવાને એમ ન કર્યું. જેથી પાકિસ્તાન પર દબાવ બની ગયો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.