ઇજાગ્રસ્ત પંડ્યાને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ઇંગ્લેન્ડ સામે રમશે કે નહીં

ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ રવિવારે થનારી વર્લ્ડ કપ મેચ અગાઉ ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવી છે. હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં થયેલી ઇજા હજુ સારી થઈ નથી અને તે વર્લ્ડ કપની આગામી બે મેચ નહીં રમે. તેનો અર્થ હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા વિરુદ્ધ થનારી મેચમાં પણ ભારતીય ટીમનો હિસ્સો નહીં હોય. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 5 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા અને પછી નેધરલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપની અંતિમ બે લીગ મેચો માટે જ ઉપલબ્ધ હશે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ગયા અઠવાડિયે પૂણેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન પગની ઘૂંટીમાં ઇજા થયા બાદ હાર્દિક પંડ્યાએ બોલિંગ કરવાની શરૂ કરી નથી. મેડિકલ ટીમ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં તેને સારો થવા માટે હજુ થોડા દિવસ સુધી રાહ જોશે. તે મુંબઈ કે કોલકાતામાં ભારતીય ટીમ સાથે જોડાય તેવી સંભાવના છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ પંડ્યાની વાપસીમાં ઉતાવળ કરવા માગતુ નથી. ટીમને આશા છે કે અંતિમ બે લીગ મેચ માટે પૂરી રીતે ફિટ થઈ જશે.

આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી, એવામાં ટીમ મેનેજમેન્ટ પંડ્યા સેમીફાઈનલ માટે પૂરી રીતે ફિટ રહે તેવું ઈચ્છે છે. હાર્દિક પંડ્યા ગત 22 ઑક્ટોબરના રોજ ધર્મશાળામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ રમ્યો નહોતો અને તેને સારવાર માટે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ અકાદમીમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ઇંગ્લેન્ડના વિશેષજ્ઞ ડૉક્ટરની દેખરેખમાં તેની સારવાર થઈ હતી. શરૂઆતમાં એ વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ વિરુદ્ધ 29 ઓક્ટોબરના રોજ થનારી મેચ માટે ફિટ થઈ જશે, પરંતુ ટેસ્ટ અને સ્કેન બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે.

હાર્દિક પંડ્યાને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન મેચ દરમિયાન બોલિંગ દરમિયાન પગની ઘૂંટીમાં ઇજા થઈ હતી. લિટન દાસના એક ડ્રાઈવને પગથી રોકાવાના ચક્કરમાં પંડ્યાને પગની ઘૂંટીમાં ઇજા થઈ ગઈ હતી. ત્યારબાદ તે લંગડાતો ચાલી રહ્યો હતો. ફિઝિયોએ તેના એંકલમાં પટ્ટી બાંધી હતી. ત્યારબાદ તે બોલિંગ કરી શક્યો નહોતો અને તેની બાકી બચેલી ઓવર વિરાટ કોહલીએ પૂરી કરી હતી. ખેર હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પંડ્યા ક્યાં સુધીમાં રિકવર કરી શકે છે અને તે બાબતે BCCI સત્તાવાર ક્યારે અપડેટ આપે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.