હરમનપ્રીત કૌરે એ કારનામું કર્યું, જે વિરાટ અને રોહિત પણ કરી શક્યા નહીં

ભારતીય ક્રિકેટ ટીમ મહિલાએ T20I વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. સોમવાર, 20 ફેબ્રુઆરીએ ભારતે તેની છેલ્લી લીગ મેચમાં આયર્લેન્ડને હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ આ મેચ ડકવર્થ લુઈસ નિયમના આધારે 5 રનથી જીતી હતી. આ સાથે હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીવાળી ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ભારત ગ્રુપ બીમાં 6 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડના પણ એટલા જ પોઈન્ટ છે, પરંતુ પાકિસ્તાન સામે તેની છેલ્લી લીગ મેચ બાકી છે. જો આ મેચમાં ઈંગ્લેન્ડ પાકિસ્તાનને હરાવશે તો સેમીફાઈનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. બીજી તરફ જો ઈંગ્લેન્ડ ખૂબ જ ખરાબ રીતે હારી જશે, તો ભારત ગ્રુપમાં ટોપ પર આવી જશે. આવી સ્થિતિમાં તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે થશે.

ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીતે આયર્લેન્ડ સામેની મેચમાં બે રેકોર્ડ બનાવ્યા હતા. આ મેચમાં મેદાન પર ઉતરવાની સાથે જ હરમનપ્રીતે તેની 150મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આવું કરનાર તે વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે. આજ સુધી કોઈ પણ પુરુષ ક્રિકેટર આ સ્થાન હાંસલ કરી શક્યો નથી. આ યાદીમાં રોહિત શર્મા બીજા નંબર પર છે. તેના નામે કુલ 148 T20I મેચ છે. જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં કુલ 115 T20I મેચ રમી છે.

આ સાથે હરમનપ્રીતે આ મેચમાં 13 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે તેની T20I કરિયરમાં 3000 રન પણ પૂરા કર્યા. મહિલા T20I ક્રિકેટમાં આવું કરનાર તે ભારતની પ્રથમ અને વિશ્વની ચોથી ખેલાડી બની ગઈ છે.

હરમનપ્રીત કૌરની ગણતરી દિગ્ગજ ખેલાડીઓમાં થાય છે. તેની શાનદાર રમત અને અનુભવને કારણે તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરી રહી છે. 33 વર્ષીય ભારતીય કેપ્ટને 2009માં પોતાની પ્રથમ મેચ રમી હતી. ઈંગ્લેન્ડ સામેની તે મેચમાં હરમનપ્રીત માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે અત્યારે આ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. આયર્લેન્ડ સામેની મેચ પહેલા હરમને 134 ઇનિંગ્સમાં 27.97ની એવરેજથી 2993 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને 9 અડધી સદી સામેલ છે. આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારી તે એકમાત્ર મહિલા ક્રિકેટર પણ છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.