ગાવસ્કર KS ભરતને ડ્રોપ કરીને KL રાહુલને ટીમમાં ઈચ્છે છે, આપ્યું કારણ

ભારત અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. આ બંને ટીમો હવે 7 જૂન 2023ના રોજ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર WTC ટાઈટલ માટે એકબીજા સાથે લડતી જોવા મળશે. જો કે આ ફાઇનલ મેચ રમતા પહેલા ભારતીય ટીમે ઘણા મહત્વના સવાલોના જવાબ શોધવા પડશે. આમાંનો એક મહત્વનો પ્રશ્ન એ છે કે WTC ફાઇનલમાં ભારતીય ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે કોણ મેદાનમાં ઉતરશે?

આ મુદ્દે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પોતાનો અભિપ્રાય આપ્યો છે. વાસ્તવમાં, સુનીલ ગાવસ્કરનું માનવું છે કે KL રાહુલને WTC ફાઇનલમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન આપવું જોઈએ. તેણે કહ્યું, 'તમે KL રાહુલને વિકેટકીપર તરીકે જોઈ શકો છો. જો તે ઓવલ (WTC ફાઈનલ) ખાતે નંબર 5 અથવા 6 પર બેટિંગ કરે છે, તો અમારી બેટિંગ વધુ મજબૂત બનશે, કારણ કે તેણે ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં રમતી વખતે ખરેખર સારી બેટિંગ કરી હતી. તેણે સદી ફટકારી હતી. જ્યારે તમે WTC ફાઈનલ માટે તમારી પ્લેઈંગ ઈલેવન પસંદ કરો છો ત્યારે KL રાહુલને ધ્યાનમાં રાખો.

અહીં તમને બતાવી દઈએ કે, જો KL રાહુલને WTC ફાઇનલમાં વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવે છે, તો તે સ્પષ્ટ છે કે KS ભરતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. KL રાહુલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 3 ઈનિંગમાં માત્ર 38 રન બનાવ્યા હતા, જેના પછી તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ KS ભરતની વાત કરીએ તો, તેણે પણ ટીમને નિરાશ કરી છે. KS ભરતના બેટથી સિરીઝમાં માત્ર 101 રન (6 ઇનિંગ્સ) થયા હતા. એટલું જ નહીં, વિકેટ કીપર તરીકે પણ તેણે વિકેટ પાછળ ઘણા કેચ છોડ્યા હતા, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. KS ભરત અને KL રાહુલ સિવાય કેપ્ટન રોહિત શર્મા પાસે વિકેટકીપર તરીકે ઈશાન કિશનનો વિકલ્પ પણ હાજર હશે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન કયા ખેલાડી પર વિશ્વાસ રાખે છે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.