ગાવસ્કર KS ભરતને ડ્રોપ કરીને KL રાહુલને ટીમમાં ઈચ્છે છે, આપ્યું કારણ

ભારત અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. આ બંને ટીમો હવે 7 જૂન 2023ના રોજ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર WTC ટાઈટલ માટે એકબીજા સાથે લડતી જોવા મળશે. જો કે આ ફાઇનલ મેચ રમતા પહેલા ભારતીય ટીમે ઘણા મહત્વના સવાલોના જવાબ શોધવા પડશે. આમાંનો એક મહત્વનો પ્રશ્ન એ છે કે WTC ફાઇનલમાં ભારતીય ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે કોણ મેદાનમાં ઉતરશે?

આ મુદ્દે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પોતાનો અભિપ્રાય આપ્યો છે. વાસ્તવમાં, સુનીલ ગાવસ્કરનું માનવું છે કે KL રાહુલને WTC ફાઇનલમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન આપવું જોઈએ. તેણે કહ્યું, 'તમે KL રાહુલને વિકેટકીપર તરીકે જોઈ શકો છો. જો તે ઓવલ (WTC ફાઈનલ) ખાતે નંબર 5 અથવા 6 પર બેટિંગ કરે છે, તો અમારી બેટિંગ વધુ મજબૂત બનશે, કારણ કે તેણે ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં રમતી વખતે ખરેખર સારી બેટિંગ કરી હતી. તેણે સદી ફટકારી હતી. જ્યારે તમે WTC ફાઈનલ માટે તમારી પ્લેઈંગ ઈલેવન પસંદ કરો છો ત્યારે KL રાહુલને ધ્યાનમાં રાખો.

અહીં તમને બતાવી દઈએ કે, જો KL રાહુલને WTC ફાઇનલમાં વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવે છે, તો તે સ્પષ્ટ છે કે KS ભરતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. KL રાહુલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 3 ઈનિંગમાં માત્ર 38 રન બનાવ્યા હતા, જેના પછી તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ KS ભરતની વાત કરીએ તો, તેણે પણ ટીમને નિરાશ કરી છે. KS ભરતના બેટથી સિરીઝમાં માત્ર 101 રન (6 ઇનિંગ્સ) થયા હતા. એટલું જ નહીં, વિકેટ કીપર તરીકે પણ તેણે વિકેટ પાછળ ઘણા કેચ છોડ્યા હતા, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. KS ભરત અને KL રાહુલ સિવાય કેપ્ટન રોહિત શર્મા પાસે વિકેટકીપર તરીકે ઈશાન કિશનનો વિકલ્પ પણ હાજર હશે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન કયા ખેલાડી પર વિશ્વાસ રાખે છે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.