'કોહલી હજુ 50 સદી વધુ બનાવશે’, શું સાચી થશે ભજ્જીની ભવિષ્યવાણી?

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અમદાવાદ ટેસ્ટમાં સદી બનાવનાર વિરાટ કોહલી ફરી એક વખત ચર્ચામાં છે. અમદાવાદમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 186 રનોની ઇનિંગ રમી હતી અને તે કરિયરની 75મી ઇન્ટરનેશનલ હતી. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 28મી ટેસ્ટ સદી હતી. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનામાં ત્રણેય ફોર્મેટમાં સદી બનાવીને પોતાના ફોર્મમાં વાપસી કરી લીધી છે અને હવે ફરી એક વખત એમ લાગી રહ્યું છે કે તે મહાન બેટ્સમેન સચિન તેંદુલકરની 100 સદીઓનો રેકોર્ડ તોડી દેશે.

જો કે, આ દરમિયાન પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે વિરાટ કોહલીને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. હવે હરભજન સિંહની આ ભવિષ્યવાણી સાચી થશે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ હરભજન સિંહનું આ નિવેદન હાલમાં ખૂબ લાઇમલાઇટમાં છે. હરભજન સિંહે કહ્યું કે, વિરાટ કોહલી મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરની 100 ઇન્ટરનેશનલ સદીઓનો રેકોર્ડ તોડી શકે છે, પરંતુ અહીંથી તે 50 સદી વધુ બનાવી શકે છે.

હરભજન સિંહે સ્પોર્ટ્સ તક સાથે વાતચીત કરવા દરમિયાન કહ્યું હતું કે, ‘એ સંભવ છે કે વિરાટ કોહલી હવે સચિન તેંદુલકરની 100 ઇન્ટરનેશનલ સદીઓનો રેકોર્ડ તોડી શકે છે. આ સમયે વિરાટ કોહલીની ઉંમર અને ફિટનેસને જોતા મને લાગી રહ્યું છે કે તે 100 કરતા પણ વધુ સદી લગાવી શકે છે. તેમણે આગળ કહ્યું કે, તે અત્યારે માત્ર 34 વર્ષનો છે, પરંતુ તેની ફિટનેસ કોઈ 24 વર્ષીય ખેલાડી જેવી છે.

તે પહેલા જ 75 સદી લગાવી ચૂક્યો છે અને જેવી રીતે તે રમી રહ્યો છે, મને લાગે છે કે તે ઓછામાં ઓછી 50 સદી વધુ બનાવી શકે છે. તમે વિચારી રહ્યા હશો કે હું તો વધુ પડતો બોલી રહ્યો છું, પરંતુ એ વિરાટ કોહલી જ છે, જે એમ કરી શકે છે. આ સમયે બાકી બધા વિરાટ કોહલીથી ખૂબ પાછળ છે. મને નથી લાગતું કે, તે અહી જ રોકાવાનો છે. તે બ્રેક પરથી પરત ફર્યા બાદ 5 સદી ફટકારી ચૂક્યો છે. મારું માનવું છે કે, ઘણી હદ સુધી જૂના વિરાટ કોહલીનું કમબેક થઈ ચૂક્યું છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.