દિગ્ગજ ખેલાડીનું નિવેદન, હું મારું કરિયર KKR સાથે સમાપ્ત કરવા માગું છું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં હંમેશાંથી જ કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) માટે રમનાર સુનિલ નરિને મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. સુનિલ નરિન પોતાનું કરિયર આ ફ્રેન્ચાઇઝી સાથે જ રહીને સમાપ્ત કરવા માંગે છે. કોલકાતા નાઈટ રાઇડર્સની વેબસાઇટ સાથે વાતચીત કરતા સુનિલ નરિને કહ્યું કે ઘણા ઓછા વિદેશી ખેલાડી હોય છે જે એ જ ટીમ માટે રમે છે. મેં હંમેશા વેંકી મૈસૂરને કહ્યું છે કે મને આશા છે કે હું કોઇ અન્ય ફ્રેન્ચાઇઝી માટે નહીં રમુ, મને કોલકાતા નાઈટ રાઈડર્સમાં રહેવું પસંદ છે એટલે આશા છે કે હું અહીં જ શરૂ અને સમાપ્ત કરીશ.

તેણે કહ્યું કે આ એક મોટી ઉપલબ્ધિ છે. પોતાના ઘણા વિદેશી ખેલાડીઓને એક ફ્રેન્ચાઇઝી સાથે રહેતા નથી જોયા. સૌભાગ્યથી હું તેમાંથી એક છું અને આશા છે કે હું ભવિષ્યમાં પણ તેમની સાથે જ રહી શકું છું. સુનિલ નરિને 158 મેચ રમી છે જેમાં તેણે 159 વિકેટ લીધી છે. કોલકાતા નાઇટ રાઈડર્સ માટે પોતાની પહેલી સીઝનમાં સુનિલ નરિને 24 વિકેટ લઈને દુનિયાને ચોંકાવી દીધી હતી. ત્યારબાદ તેણે 22 વિકેટ અને 21 વિકેટ લીધી. સુનિલ નરિને વર્ષ 2021મા પોતાના કોલકાતા નાઈટ રાઇડર્સના કરિયરને પુનર્જીવિત કર્યું અને ફાઇનલમાં પહોંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા 14 મેચોમાં 16 વિકેટ લીધી હતી. જો કે 2023ની સીઝનમાં તે કંઇ ખાસ કરી શક્યો નથી, તેણે આ IPLની 10 મેચમાં 7 વિકેટ જ લીધી છે.

મેગા ઓક્શન પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સે સુનિલ નરિન પર ભરોસો વ્યક્ત કરતા તેને રિટેન કર્યો હતો. તેની સાથે જ પોતાના દેશનો આન્દ્રે રસેલ પણ હતો. એ સિવાય વેંકટેશ ઐય્યર અને વરુણ ચક્રવર્તીને પણ કોલકાતા નાઈટ રાઇડર્સે રિટેન કર્યા હતા. ગયા વર્ષે ફાઇનલ સુધીની સફર નક્કી કરનારી આ ટીમે આ વખત શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવ્યો હતો પરંતુ તે ઈન્જર્ડ થતા નીતિશ રાણાને કેપ્ટન બનાવાયો હતો

 

કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો 2023ની સીઝનમાં કોલકાતા 10 મેચ રમ્યું છે, જેમાંથી 4 મેચ જ જીતી શક્યું છે અને 6 મેચમાં હાર થઈ છે. હાલમાં ટીમ પોઇન્ટ ટેબલમાં આઠમા નંબરે છે અને પ્લેઓફ્સમાં પહોંચવાની શક્યતા આ ટીમની ઘણી ઓછી છે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ્સમાં પહોંચનારી પહેલી ટીમ પણ બની ગઈ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.