શું વિરાટ કોહલી બનાવી શકે છે 100 સદી? રવિ શાસ્ત્રીએ આપ્યો આ જવાબ

વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી બનાવી શકે છે કે નહીં તેને લઇને પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સચિન તેંદુલકરની 100 સદી સુધી પહોંચવાનું વિરાટ કોહલી માટે જરાય સરળ નહીં હોય, પરંતુ તે અત્યારે ખૂબ ફિટ છે અને આગામી 5-6 વર્ષો સુધી સરળતાથી રમી શકે છે. જો વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 108 ટેસ્ટ, 274 વન-ડે અને 115 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

વિરાટ કોહલીએ કુલ મળીને અત્યાર સુધી 75 ઇન્ટરનેશનલ સદી બનાવી છે. તેમાંથી 28 સદી ટેસ્ટ મેચોમાં છે, તો 46 વન-ડે અને એક T20 સદી સદી સામેલ છે. હાલમાં જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેણે છેલ્લી વખત સદી બનાવી હતી, જ્યારે સચિંત તેંદુલકરની જો વાત કરીએ તો તેમણે પોતાના કરિયરમાં કુલ 100 સદી બનાવી છે અને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, શું વિરાટ કોહલી સચિન તેંદુલકરના આંકડા સુધી પહોંચી શકે છે કે નહીં.

તેમણે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરવા દરમિયાન કહ્યું કે, અત્યાર સુધી કેટલા ખેલાડીઓએ 100 સદી બનાવી છે? માત્ર એક. એટલે જો તમે કહી રહ્યા છો કે વિરાટ કોહલી આ આંકડાને હાંસલ કરી શકશે તો પછી એ ખૂબ મોટી વસ્તુ છે. અત્યારે પણ વિરાટ કોહલીની અંદર ખૂબ ક્રિકેટ બાકી છે. તે ખૂબ ફિટ છે. જ્યારે આટલો મોટો ખેલાડી સદી બનાવે છે તો પછી સતત ઘણી સદી બનાવે છે. કદાચ 15 મેચોમાં 7 સદી પણ થઇ જાય. વિરાટ કોહલી ફિટ છે અને તે અત્યારે પણ 5-6 વર્ષ સુધી આરામથી રમી શકે છે.

તેમણે કહ્યું કે, સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડવાનું સરળ નથી, પરંતુ તમે જો એમ કહી રહ્યા છો તો ત્યાં સુધી પહોંચી જશે તો તે ખૂબ મોટી વસ્તુ છે. ઉલ્લેખનીય છે કે સચિન તેંદુલકરે ટેસ્ટમાં 51 સદી અને વન-ડેમાં 49 સદી બનાવી છે. વિરાટ કોહલી વન-ડેમાં સચિન તેંદુલકરના 49 સદીના રેકોર્ડ તોડવાથી માત્ર 4 સદી દૂર છે. તો સચિન તેંદુલકરના ઓવરઓલ 100 સદીના રેકોર્ડને તોડવા માટે વિરાટ કોહલીએ 25 વધુ સદી બનાવવાની જરૂરિયાત છે. હવે આગામી સમય જ બતાવશે કે વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી શકશે કે નહીં.

About The Author

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.