ઈન્દોર ટેસ્ટમાં હાર મળી તો કેવી રીતે પહોંચશે ભારત WTC ફાઇનલમાં? ગણિત ગૂંચવાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતની શરૂઆત કંઈ ખાસ ન હતી અને રમતના પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ માત્ર 109 રનમાં ઓલઆઉટ કર્યો હતો. જો કે, ભારતે મેચના બીજા દિવસે પુનરાગમન કર્યું, ઓસ્ટ્રેલિયાને 197 રનમાં આઉટ કરી દીધું અને તેને માત્ર 88 રનની લીડ લેવા દીધી.

ઈન્દોર ટેસ્ટ મેચ ભારતના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે ફાઇનલમાં પહોંચી જશે. આ મેચમાં હારની સ્થિતિમાં ભારતની ફાઇનલમાં પહોંચવાની રાહ થોડી વધી શકે છે. ઈન્દોર ટેસ્ટમાં હારના કિસ્સામાં, ભારતે આસાનીથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે કોઈપણ કિંમતે અમદાવાદ ટેસ્ટ મેચ જીતવી પડશે.

જો ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતવામાં આવે અથવા 2-2થી ડ્રો થાય તો ભારતે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આવી સ્થિતિમાં ભારતે પ્રાર્થના કરવી પડશે કે, શ્રીલંકા ન્યૂઝીલેન્ડ સામેની બેમાંથી ઓછામાં ઓછી એક મેચ હારે. શ્રીલંકા માટે ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે જીતવું ખૂબ મુશ્કેલ હશે, તે પણ ન્યૂઝીલેન્ડના ઘરઆંગણે.

ઓસ્ટ્રેલિયા માટે પણ સમીકરણ સ્પષ્ટ છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સરળતાથી પહોંચવા માટે ભારત સામેની બેમાંથી ઓછામાં ઓછી એક મેચમાં હાર ટાળવી પડશે. એટલે કે ઓસ્ટ્રેલિયા 3-0 કે 3-1થી સિરીઝ હારી જાય તો પણ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. જો ઓસ્ટ્રેલિયા બંને મેચ હારી જાય છે, તો શ્રીલંકાએ ફાઈનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી 2-0થી જીતવી પડશે, જેમાં નિષ્ફળ જવાથી ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલ મેદાન પર રમાશે.

ઈન્દોર ટેસ્ટ મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પોતાની ઈનિંગમાં માત્ર 109 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 22 રનની ઇનિંગ રમી હતી. અન્ય કોઈ ખેલાડી કંઈ ખાસ કરી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયન ટીમ માટે સ્પિનર મેથ્યુ કુહનમેને સૌથી વધુ પાંચ અને નાથન લિયોને 3 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 197 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમે એક સમયે ચાર વિકેટે 186 રન બનાવી લીધા હતા, પરંતુ તેની છેલ્લી છ વિકેટ માત્ર 11 રનમાં જ પડી ગઈ હતી. રમતના બીજા દિવસે અશ્વિન અને ઉમેશ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દિવસની રમતમાં ચાર વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 88 રનની મૂલ્યવાન લીડ મળી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.