જ્યારે ટીમમાં હતો તેના કરતા હવે હું 10 ગણો સારો બોલર છું, ખલીલની પ્રતિક્રિયા

એશિયા કપ 2018માં હોંગકોંગ સામે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ખલીલ અહેમદ લગભગ છેલ્લા 4 વર્ષથી ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. છેલ્લા કેટલાક સમયથી IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના સાતત્યપૂર્ણ પ્રદર્શન છતાં પસંદગીકારો તેની સતત અવગણના કરી રહ્યા છે, જેના વિશે તેણે તાજેતરમાં ઘણી વાત કરી છે.

જિયો સિનેમા પર આકાશ ચોપરા સાથેની વાતચીતમાં ખલીલ અહેમદે કહ્યું કે, જ્યારે તે ભારત માટે રમ્યો હતો તેની સરખામણીમાં તે હવે વધુ સારો બોલર બની ગયો છે, પરંતુ તેમ છતાં તે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી.

IPL 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવા માટે તૈયાર ખલીલ અહેમદે કહ્યું, 'જ્યારે હું ભારત માટે રમતો હતો ત્યારે હું એટલો સારો બોલર નહોતો. પણ હવે હું માનું છું કે હવે હું ઘણો સારો બોલર છું, પરંતુ હું ભારતીય ટીમમાં નથી. જ્યારે હું ભારત માટે રમતો હતો તેના કરતાં હવે હું 10 ગણો સારો બોલર બન્યો છું. હું રમતને સારી રીતે વાંચી શકું છું અને બેટ્સમેનને પણ વધુ સારી રીતે વાંચી શકું છું.

અહીં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ખલીલ અહેમદે ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા 10 મેચમાં 19.69ની એવરેજથી 16 વિકેટ લીધી હતી. આવું સારું પ્રદર્શન છતાં ભારતીય પસંદગીકારો દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. IPL 2022માં શાનદાર પ્રદર્શન પછી ખલીલ અહેમદ ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે તૈયાર હતો, પરંતુ ઈજાને કારણે તેને સ્થાનિક સિઝનમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે રમી હતી.

ખલીલ અહેમદ પર દિલ્હી કેપિટલ્સના બોલિંગ આક્રમણમાં એનરિક નોર્ટજેને સપોર્ટ કરવાની મોટી જવાબદારી હશે. જે પ્રકારના રિધમમાં તે ગયા વર્ષે જોવા મળ્યો હતો, તે આ સિઝનમાં પણ ચાલુ રાખવા માંગશે. ભારતીય ટીમમાં અર્શદીપ સિંહ સિવાય ડાબા હાથના બોલરોમાંથી કોઈએ અત્યાર સુધી વધુ પ્રભાવ પાડ્યો નથી, આવામાં ખલીલ IPL પ્રદર્શનના આધારે ફરીથી ભારતીય ટીમમાં પસંદગી માટે દાવો કરવા માંગે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.