શિખર ધવને ભારતીય ટીમમાંથી ડ્રોપ થવા પર કહી આ હૃદયસ્પર્શી વાત

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે અને તેણે પહેલી ટેસ્ટ જીતીને સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ માટે છેલ્લા એક વર્ષમાં એક વન-ડે ફોર્મેટમાં કેપ્ટન્સી કરનાર ઓપનર બેટ્સમેન શિખર ધવનનું સ્થાન આ સમયે ભારતીય ટીમમાં નથી. તેને આ વર્ષની શરૂઆતમાં જ ડ્રોપ કરી દેવામાં આવ્યો અને તેની જગ્યાએ યુવા બેટ્સમેન શુભમન ગિલને સામેલ કરવામાં આવ્યો છે. શિખર ધવને હાલમાં જ ભારતની વન-ડે ટીમમાં પોતાની અનુપસ્થિતિ પર ખૂલીને વાત કરી છે.

તેણે તેના પર વાત કરતા કહ્યું કે, પોતાના અનુભવથી તેણે જીવનના બધા ઉતાર-ચડાવનો સામનો કરવાનું શીખી લીધું છે એટલે હવે તેને વધારે ફરક પડતો નથી. શિખર ધવને એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ભારતીય ટીમમાંથી ડ્રોપ થવા અને બીજા બેટ્સમેનોના પ્રદર્શનને લઇને કહ્યું કે, ઉતાર-ચડાવ જીવનનો હિસ્સો છે. સમય અને અનુભવ સાથે તમે શીખો છો કે તેને સરળતાથી સંભાળવાનું છે. મને તેને સંભાળવાની ખૂબ તાકત મળી છે. મેં પોતાનું સર્વશ્રેષ્ઠ કર્યું હતું.

શિખર ધવને કહ્યું કે, જો કોઇ મારા સર્વશ્રેષ્ઠથી સારું રહ્યું છે, તો એ સારું છે. હું જ્યાં પણ છું, ખૂબ ખુશ અને સંતુષ્ટ છું. હું સુનિશ્ચિત કરું છું કે મારી આગળની પ્રોસેસ ખૂબ મજબૂત હોય. તેમાં કોઇ શંકા નથી કે મારી ટીમમાં પરત આવવાની સંભાવના હંમેશાં બનેલી રહેશે. આવે તો પણ સારું, ન આવે તો પણ સારું. મેં ઘણું હાંસલ કર્યું છે અને હું તેનાથી ખુશ છું. જે આવવાનું છે તે આવશે. હું તેને લઇને હતાશ થતો નથી. શિખર ધવને છેલ્લી વખત ભારતીય ટીમ માટે ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમી હતી.

તેણે આ સીરિઝની 3 ઇનિંગમાં માત્ર 18 રન બનાવ્યા હતા અને આ ખરાબ પ્રદર્શન બાદ તેને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો. શિખર ધવનની જગ્યાએ ટીમમાં આવેલો યુવા બેટ્સમેન શુભમન ગિલે 7 મેચોમાં એક બેવડી સદી સહિત 4 સદી લગાવીને મળેલા ચન્સનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે. શિખર ધવને પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં અને T20 ઇન્ટરનેશનલ વર્ષ 2021માં રમી હતી. તે ત્યારબાદ એક ફોર્મેટમાં જ રમતો હતો. ધવનનું ધ્યાન હાલમાં આગામી IPL સીઝન પર છે જ્યાં તે પંજાબ કિંગ્સ (PBKS)ની કેપ્ટન્સી કરશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.