મહિલા ક્રિકેટરે કહ્યું ભારતીય ટીમ એશિયા કપ જીતી લાવશે

એશિયા કપ 2023ની શરૂઆતથી 30 ઑગસ્ટથી થશે. ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તરફથી સોમવારે (21 ઓગસ્ટના રોજ) 17 સભ્યોની ભારતીય સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. સ્કવોડની જાહેરાત થાય બાદ મહિલા ભારતીય ક્રિકેટર શેફાલી વર્માએ દાવો કરતા કહ્યું કે, ભારતીય ટીમ એશિયા કપ જીતી શકે. તેને ભારતીય ટીમના સ્ક્વોડ બાબતે કહ્યું કે, ટીમ મજબૂત દેખાઈ રહી છે.

શેફાલી વર્માએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે, ‘ટીમ ખૂબ મજબૂત દેખાઈ રહી છે. જે પણ ઇજાના કારણે મિલ કરી રહ્યા હતા, તેઓ પુર્નરાગમન કરી રહ્યા છે. એટલે મને લાગે છે કે ટીમ ખૂબ મજબૂત થઈ ગઈ છે એટલે મને લાગે છે કે તે જીતી જશે. શેફાલી વર્માએ વન-ડે વર્લ્ડ કપ 2023માં પણ ભારતની જીતની ઈચ્છા જાહેર કરી. આ વખત વન-ડે વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી રમાશે.

એ સિવાય શેફાલી વર્માએ મહિલા ભારતીય ટીમની કેપ્ટન્સી હરમનપ્રીત કૌર અને અમ્પાયર્સ વચ્ચે બંગલાદેશ વિરુદ્ધ મેચમાં થયેલા વિવાદ પર પણ પ્રતિક્રિયા આપી. શેફાલી વર્માએ કહ્યું કે, ‘હું હરમનપ્રીત કૌર બાબતે વધુ નહીં કહી શકું, પરંતુ એક ટીમના રૂપમાં અમે હંમેશાં ભારતીય ટીમ, દેશ માટે સારું કરવા માટે વિચારીએ છીએ. ક્યારેક ક્યારેક અમારે ઉપર નીચે જવું પડે છે, પરંતુ અમે હાર્ડ વર્ક કરી શકીએ છીએ એટલે અમે હાર્ડ વર્કમાં વિશ્વાસ કરી રહ્યા છીએ. અમે એ જ વિચારી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, હરમનપ્રીત કૌરે બાંગ્લાદેશ પ્રવાસ પર ઢાકામાં અમ્પાયર સાથે બહેસ કર્યા બાદ સ્ટેમ્પ પર બેટ મારી દીધી હતી. મહિલા ભારતીય કેપ્ટનને આ હરકત માટે 3 ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતા અને એક અન્ય અંક સાર્વજનિક નિંદા માટે મળ્યો હતો. એ સિવાય હરમનપ્રીત કૌર પર મેચ ફિસનો 25 થી 50 ટકા સુધી દંડ પણ લગાવવામાં આવ્યો હતો. હરમનપ્રીત કૌરનો સ્ટેમ્પ પર બેટ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

એશિયા કપ માટે પસંદ થયેલા 16 ખેલાડી:

રોહિત શર્મા (કેપ્ટન),  વિરાટ કોહલી, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શર્દૂલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન (રિઝર્વ વિકેટકીપર).

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.