'હું આ IPLમા 1 ઓવરમાં 4 સિક્સ મારીશ', શું રિયાન પરાગની વાત સાચી પડશે?

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 16મી સીઝન (2023) 31 માર્ચથી શરૂ થઈ રહી છે. આગામી સિઝન માટે ઘણી ટીમોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગત સિઝનના ફાઇનલિસ્ટ, રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં એક ડગલું આગળ જવા માટે આતુર હશે. જો કે, આ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો આ યુવા ખેલાડી રિયાન પરાગ ચર્ચામાં આવી ગયો છે.

રિયાન પરાગે આગામી IPL માટે તેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન લઈને આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તે IPL 16માં રાજસ્થાન માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે એમ છે. જોકે, IPLની આગામી સિઝન શરૂ થાય તે પહેલા તેણે એક એવી જાહેરાત કરી છે કે જેનાથી બોલરોમાં ડરનો માહોલ પેદા થઇ ગયો છે.

રિયાન પરાગે કહ્યું છે કે, તેને એવું લાગે છે કે તે આગામી IPL સિઝનમાં એક ઓવરમાં 4 સિક્સર ફટકારશે. પોતાના એક ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને તેણે લખ્યું, 'આ વખતે મારો અંતરાત્મા મને કહી રહ્યો છે કે, હું આ IPLની એક ઓવરમાં 4 સિક્સર મારીશ.'

પરાગની આ ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે અને હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે, તે જે અનુભવી રહ્યો છે તે કરી શકશે કે નહીં. અહીં તમને જણાવી દઈએ કે, રિયાન પરાગ લાંબા સમયથી રાજસ્થાન રોયલ્સનો ભાગ છે અને તેણે રાજસ્થાન રોયલ્સ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી છે. રિયાન પરાગે હાલમાં જ ગુવાહાટી પ્રીમિયર લીગની 12 મેચોમાં 683 રન બનાવ્યા છે અને એટલું જ નહીં, તેણે બેટની સાથે સાથે બોલથી પણ શાનદાર પરિણામ દર્શાવતા 27 વિકેટ ઝડપી છે. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

રિયાન પરાગના પ્રદર્શનની વાત કરીએ તો તેણે રાજસ્થાન માટે અત્યાર સુધીમાં 47 મેચ રમી છે અને 16.84ની એવરેજથી 522 રન બનાવ્યા છે. પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ કંઈ ખાસ રહ્યો નથી અને આ ફ્રેન્ચાઈઝી માટે ચિંતાનો વિષય છે. આગામી સંસ્કરણ માટે રાજસ્થાન ફ્રેન્ચાઇઝી દ્વારા જાળવી રાખ્યા પછી, પરાગે કહ્યું કે તે ટૂંક સમયમાં ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.