ટેસ્ટ શ્રેણીમાં હારના ડરથી ઓસ્ટ્રેલિયન ઈયાન હીલીએ ભારતીય પીચો પર સવાલો ઉઠાવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચમાં ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ સીરિઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ લગભગ છ વર્ષ બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ સીરિઝ રમવા જઈ રહી છે. અગાઉ, તેણે છેલ્લી વખત વર્ષ 2017માં ટેસ્ટ શ્રેણીમાં ભાગ લીધો હતો, જ્યાં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી શ્રેણી જીતી હતી.

આ શ્રેણી શરૂ થવામાં હજુ થોડા દિવસો બાકી છે, પરંતુ નિવેદનોનો તબક્કો શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હીલીએ ભારતીય પિચો પર સવાલો ઉઠાવ્યા છે. હીલીને આશંકા છે કે, નાગપુર, દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદની પીચો સ્પિન ફ્રેન્ડલી ન બનાવી દે.

હિલીએ SEN રેડિયોને કહ્યું, 'તેમની (ભારત) સારી ટીમ છે, પરંતુ હું તેમના સ્પિનરોથી બહુ ડરતો નથી જ્યાં સુધી કે તેઓ વિચિત્ર પીચ બનાવી દેતાં નથી, જેમ કે, પાછલી વખતે તેઓએ શ્રેણીના વચ્ચે કર્યું હતું તેમ. બે પીચ તો ડરામણી હતી, અયોગ્ય હતી અને પહેલા જ દિવસથી સ્પિનરોનું વર્ચસ્વ છવાઈ ગયું હતું.'

ઇયાન હીલીએ આગળ કહ્યું, 'આ પ્રકારની પીચ પર તેઓ અમારા કરતા વધુ સારી રીતે રમશે, પરંતુ જો તેઓને સપાટ ભારતીય પીચ મળે, સારી સપાટ બેટિંગવાળી પીચ મળે અને બોલરોએ ખરેખર સખત મહેનત કરવી પડે, તો મને લાગે છે કે અમે જીતી શકીશું. મારું અનુમાન છે કે ભારત 2-1થી જીતશે.'

ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે નાથન લિયોન, મિશેલ સ્વેપ્સન, એશ્ટન અગર અને અનકેપ્ડ ટોડ મર્ફીનો સમાવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાને શ્રેણી પહેલા જ આંચકો લાગી ચુક્યો છે, કારણ કે ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક 9 ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. સ્ટાર્કને દક્ષિણ આફ્રિકા સામે બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી અને તે દિલ્હી ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે.

હીલીનું માનવું છે કે, જો સ્ટાર્ક બીજી ટેસ્ટ માટે સમયસર પરત ફરશે તો પણ તેને મેચ પ્રેક્ટિસ ન મળવાની ચિંતા રહેશે. મારી ચિંતા તેના (સ્ટાર્ક) પ્રથમ ટેસ્ટમાં નહીં રમવાની છે. જો સ્ટાર્ક પ્રથમ ટેસ્ટ માટે નહીં હોય તો તેને બીજી ટેસ્ટની તૈયારી માટે પણ સમય નહીં મળે. ત્યારબાદ પ્રેક્ટિસ મેચ પણ નથી. હીલીએ આશા વ્યક્ત કરી હતી કે ઓસ્ટ્રેલિયન ટીમ એશિઝ શ્રેણીમાં સફળ રહેશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.