નેપાળ સાથેની મેચ પણ વરસાદને કારણે ધોવાઇ જાય તો, શું ભારત સુપર-4માં પહોંચી શકશે?

એશિયા કપ 2023માં ભારતીય ટીમની પાકિસ્તાનની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી.હવે ટીમ ઇન્ડિયાએ બીજી મેચ નેપાળ સાથે 4 સપ્ટેમ્બરે શ્રીલંકાના પલ્લેકેલ ક્રિક્રેટ સ્ટેડીયમમાં જ રમવાની છે, જ્યા ભારત પાકિસ્તાનની મેચ રમાઇ હતી. ભારત અને નેપાળ વચ્ચે પહેલી વન-ડે મેચ રમાવવાની છે.

ભારતની પાકિસ્તાન સાથેની પહેલી વન-ડે મેચ તો વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી અને બંને ટીમને 1-1 પોઇન્ટ આપી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાને આ પહેલા નેપાળ સાથેની મેચ ભારી અંતરથી જીતી હતી એટલે પાકિસ્તાન તો સુપર-4માં પહોંચી ગયું છે,પરંતુ, હવે સવાલ એ આવીને ઉભો છે કે, ભારત અને નેપાળની મેચ પણ જો વરસાદને કારણે ધોવાઇ જાય તો શું ભારત સુપર-4માં પહોંચી શકે ખરૂ?

શ્રીલંકાના પલ્લેકેલ ક્રિક્રેટ સ્ટેડીયમ પર 4 સપ્ટેમ્બરે ભારત અને નેપાળ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે અને 4 સપ્ટેમ્બરે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે એવા સંજોગોમાં જો મેચ રદ કરવાની નોબત ઉભી થાય તો ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે ભારત અને નેપાળને 1-1 પોઇન્ટ આપી દેવામાં આવશે. એટલે પોઇન્ટ ટેબલ પર ભારતના 2 અંક હશે. મતલબ કે ટીમ ઇન્ડિયા સુપર-4 માટે ક્વોલિફાય કરી જશે.

નેપાળની વાત કરીએ તો પાકિસ્તાન સામે નેપાળ હારી ગયું હતું અને ભારત સામેની મેચમાં વરસાદને કારણે 1 પોઇન્ટ મળે છે તો નેપાળનો કુલ આંકડો 1 થશે. મતલબ કે ભારત નેપાળ કરતા આગળ હશે અને સુપર-4માં સામેલ થઇ જશે.

ધારો કે વરસાદ નથી પડતો અને મેચ રમાઇ છે અને કોઇ સંજોગોમાં નેપાળ ભારત સામે જીત મેળવી લે છે તો પછી નેપાળ સુપર-4માં પહોંચી જશે.કારણકે મેચ જીતવાને કારણે નેપાળને 2 પોઇન્ટ મળશે અને ભારત પાસે 1 જ પોઇન્ટ રહેશે. જો કે આ શક્યતા ઘણી ઓછી છે. તેની સામે ભારત જો નેપાળ સામેની મેચ જીતી જશે તો તેને 2 પોઇન્ટ મળશે અને સુપર-4માં ક્વોલિફાયર થઇ જશે.

એશિયા કપ 2023માં ભારતની પહેલી મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાઇ હતી. ભારતે 50 ઓવર રમી લીધી હતી અને 266 રનનો સ્કોર કર્યો હતો. પરંતુ એ પછી વરસાદનું વિઘ્ન ઉભું થયું હતું અને લાંબી રાહ જોયા પછી મેચ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ક્રિક્રેટના ચાહકોમાં જબરદસ્ત નિરાશા જોવા મળી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.