રાજકોટમાં આ ખેલાડી છે 'રાજા', જબરદસ્ત છે રેકોર્ડ, ભારતને જીતાડશે સીરિઝ

મુંબઈમાં થયેલી પ્રથમ T20માં જીત્યા પછી, ભારતીય ક્રિકેટ ટીમ આગલી જ મેચમાં સીરિઝ પર કબજો કરવામાં નિષ્ફળ રહી. પુણેમાં રમાયેલી બીજી T20 મેચમાં શ્રીલંકાએ જબરદસ્ત વાપસી કરતા ભારતને રોમાંચક મેચમાં 16 રને હરાવીને બરાબરી હાંસલ કરી હતી. હવે દરેકની નજર રાજકોટ પર છે, જ્યાં સીરિઝની છેલ્લી T20 મેચ રમાવાની છે. શનિવાર 7 જાન્યુઆરીના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં નિર્ણાયક મેચ રમાશે અને જો ટીમ ઈન્ડિયાને સીરિઝ પોતાના પક્ષમાં કરવી હોય તો તેને મજબૂત પ્રદર્શનની જરૂર છે. ખાસ કરીને સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે, જેનો આ મેદાન પર રેકોર્ડ મજબૂત છે.

છેલ્લા કેટલાક સમયથી સારું ફોર્મ મેળવવા માટે સંઘર્ષ કરી રહેલો અનુભવી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ માટે આ સીરિઝની શરૂઆત સારી રહી ન હતી અને પ્રથમ મેચમાં તેણે માત્ર 2 ઓવરમાં જ 26 રન આપી દીધા હતા. આ પછી તેને ફરીથી બોલિંગ ન મળી. આવી સ્થિતિમાં તેને ડ્રોપ કરવાની માંગ ઉઠી હતી. જો કે, પુણેમાં તેને જાળવી રાખવામાં આવ્યો હતો અને તેણે આ ભરોસાને 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ સાથે સાચી સાબિત કરી હતી.

સીરિઝની જેમ ચહલના પ્રદર્શનમાં પણ 1-1થી અત્યાર સુધી રહી છે અને જો ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચ જીતવી હશે તો તેના માટે ચહલનું પ્રદર્શન પણ ઘણું મહત્વનું રહેશે. તેનું એક મુખ્ય કારણ એ છે કે ચહલનો SCA સ્ટેડિયમમાં સારો રેકોર્ડ છે. રાજકોટના મેદાનમાં અત્યાર સુધી માત્ર 4 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે અને તેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ હજુ પણ ચહલના નામે છે. ભારતીય સ્પિનરે 3 ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી છે, જેમાં તેનો ઇકોનોમી રેટ 7નો છે.

જો વાત બેટિંગની કરીએ તો ટીમ ઈન્ડિયા માટે આ મેદાનમાં જે બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે, તેમાંથી કોઈપણ આ સીરિઝમાં નથી રમી રહ્યો. ભારત માટે સૌથી વધુ 98 રન રોહિત શર્માએ બનાવ્યા છે. વર્તમાન ટીમમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ મેદાનમાં 2 ઇનિંગ્સમાં 142ના સ્ટ્રાઇક રેટથી 47 રન બનાવ્યા છે.

બીજી તરફ આ મેદાનમાં રમાયેલી મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો અહીં ચાર મેચ રમાઈ છે, જેમાં ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં હતી. ભારતે તેની ત્રણેય મેચ જીતી લીધી છે. શ્રીલંકાની ટીમ રાજકોટમાં પ્રથમ વખત T20 મેચ રમશે. ભારતની છેલ્લી જીત જૂન 2022 માં મળી હતી, જ્યારે તેણે દક્ષિણ આફ્રિકાને 82 રનના મોટા અંતરથી હરાવ્યું હતું.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.