વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થયેલી ટીમ સામે ભારત હારી ગયું, આ રહ્યા હારના 3 કારણ

2023 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, પરંતુ ભારતીય ટીમે ચાર વર્ષમાં એકવાર 50 ઓવરની ટૂર્નામેન્ટને હળવાશથી લેવાની ભૂલ કરી હોય તેવું લાગે છે. ઓછામાં ઓછું તેની તૈયારીઓ પરથી એવું લાગે છે. વિશ્વકપ પહેલા માત્ર 8-10 મેચો જ રમવાની હોય તેવી સમજદાર ટીમ પોતાની જાતને પ્રયોગશાળા કેવી રીતે બનાવી શકે. આ સમય ખેલાડીઓને અજમાવવાનો નથી, પરંતુ સેટ પ્લેઈંગ ઈલેવનને એકસાથે મેચ પ્રેક્ટિસ આપવાનો છે. કદાચ તેથી જ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી પણ રાખવામાં આવી હતી, પરંતુ તેની બીજી મેચ આ ઓવર કોન્ફિડન્સનો ભોગ બની હતી. વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય ન થઈ શકનાર વેસ્ટ ઈન્ડિઝે રોહિત-વિરાટ વગર રમવા ઉતરેલી ભારતીય ટીમના બેટિંગ આક્રમણને તોડી પાડ્યું અને પછી બોલરો પણ ખુલ્લા પડી ગયા. ભારત છેલ્લી 10 વન-ડે પછી પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યું છે. ચાલો સમજીએ કે, આ હારના ત્રણ મુખ્ય કારણો શું હતા?

વેસ્ટ ઈન્ડિઝના હાથે પાંચ વિકેટની કારમી હારનું પ્રથમ અને મુખ્ય કારણ તેના પ્રયોગોનું ફ્લોપ થવાનું હતું. આ મેચમાં ટીમ મેનેજમેન્ટે ઘણા પ્રયોગો કર્યા હતા. જેમ કે, રોહિતને બેસાડીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવો. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને આરામ આપી, પ્લેઈંગ ઈલેવનમાં યુવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેટિંગ લાઇનઅપ પણ ઘણી અજીબ દેખાતી હતી. ઓલરાઉન્ડર અક્ષર પટેલને ચોથા નંબર પર મોકલવાનો તુક્કો કઈ સમજમાં ન આવ્યો. કેપ્ટન પંડ્યા પોતે પાંચમા નંબરે આવ્યા, તો સૂર્યકુમારને છઠ્ઠા નંબરે મોકલવામાં આવ્યો હતો. ટીમમાં એક્સપ્રેસ પેસર હોવા છતાં હાર્દિક પ્રથમ ઓવર નવા બોલથી ફેંકતો જોવા મળ્યો હતો. ઉમરાન મલિકને માત્ર ત્રણ ઓવર આપવામાં આવી હતી. સ્પિનરોને પણ મોડી મોડી ઓવર આપવામાં આવી હતી.

આ મેચમાં ભારતીય ટીમ તેના બે સૌથી અનુભવી બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના મેદાનમાં ઉતરી હતી. ઈશાન કિશન અને શુભમન ગીલની ડાબેરી-જમણે ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી હતી. બંને વચ્ચે 90 રનની સારી ભાગીદારી થઈ હતી, પરંતુ ત્યાર પછીના 91 રનમાં આખી ટીમ આઉટ થઈ ગઈ હતી. પ્રવાસની પ્રથમ મેચ રમી રહેલા સંજુ સેમસન (9), અક્ષર પટેલ (1) અને કેપ્ટન પંડ્યા (7) તો પીચ પર ટકી જ ન શક્યા. જાડેજા પણ માત્ર 10 રન બનાવી શક્યો હતો. કોઈ પણ બેટ્સમેન કોહલીની જેમ છેલ્લે સુધી રમનારની ભૂમિકા ભજવી શક્યો નથી, જે વિકેટ પડતી વખતે બીજા છેડાને સુરક્ષિત રાખે છે.

ટીમના બેટ્સમેનો 181 રનમાં આઉટ થયા પછી હવે જવાબદારી બિનઅનુભવી પરંતુ યુવા બોલરો પર હતી. પરંતુ IPLના સુરમા બોલરોથી ભરેલી ટીમ ક્યાંયથી ઈન્ટરનેશનલ લેવલની રમત બતાવી શકી ન હતી. નાના ટાર્ગેટનો પીછો કરતા વિન્ડીઝને વચ્ચે વચ્ચે થોડા આંચકા જરૂર લાગ્યા હતા, પરંતુ કેપ્ટન શાઈ હોપ (80 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 63), કેસી કાર્ટી (65 બોલમાં ચાર ચોગ્ગા સાથે અણનમ 48) સાથે મળીને, ટીમને છ વિકેટે જીત અપાવી હતી. શાર્દુલ ઠાકરને ત્રણ અને કુલદીપ યાદવને એક વિકેટ મળી હતી, આ ઉપરાંત હાર્દિક પંડ્યા, મુકેશ કુમાર, ઉમરાન મલિક, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ એક-એક વિકેટ માટે તરસી રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.