શ્રીલંકા સીરિઝ માટે T20મા પંડ્યા અને વનડેમાં રોહિત કેપ્ટન, પંતની છૂટ્ટી, જુઓ ટીમ

શ્રીલંકા સામે થનારી T20 અને વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCI દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને T20 સીરિઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે વન-ડે સીરિઝ માટે રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. T20 સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે.

T-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયા

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સૈમસન, વાશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને T20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા હજુ અંગૂઠાની ઈજામાંથી સાજો થયો નથી, આથી તે સીધો જ વન-ડે સીરિઝમાં વાપસી કરશે. આ સિવાય વિરાટ કોહલીને બ્રેક મળ્યો છે, જ્યારે કેએલ રાહુલે પણ લગ્ન માટે બ્રેક લીધો છે.

T20 ટીમમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો પણ જોવા મળી રહ્યા છે, જેમાં સૂર્યકુમાર યાદવને તેના પ્રદર્શનનું ઈનામ મળ્યું છે અને તેને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જ્યારે શિવમ માવી, મુકેશ કુમારને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાઃ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વાશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ

વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તમામ સિનિયર ખેલાડીઓ આ ટીમનો ભાગ છે, કારણ કે ટીમ ઈન્ડિયા વન-ડે વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ અહીં સૌથી મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાએ ઋષભ પંતને ફરી એકવાર તક આપી નથી. વન-ડે ટીમ માંથી તેને બહાર કરી દેવામાં આવ્યો છે અને હવે ફરી એકવાર કુલચા એટલે કે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

શ્રીલંકાનો ભારત પ્રવાસઃ

• પ્રથમ T20: 3 જાન્યુઆરી, મુંબઈ
• બીજી T20: 5 જાન્યુઆરી, પુણે
• ત્રીજી T20: 7 જાન્યુઆરી, રાજકોટ

• પહેલી વન-ડે: 10 જાન્યુઆરી, ગુવાહાટી
• બીજી વન-ડે: 12 જાન્યુઆરી, કોલકાતા
• ત્રીજી વન-ડે: 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.