ભારતના સ્ટાર ખેલાડીઓ તેમના પક્ષમાં નિર્ણય આપવા દબાણ કરે છે: અમ્પાયર નીતિન મેનન

છેલ્લા ત્રણ વર્ષથી ભારતના સૌથી મોટા ક્રિકેટ સ્ટાર્સમાં ભારે દબાણ હેઠળ અમ્પાયરિંગ કર્યા પછી, નીતિન મેનન એટલો પરિપક્વ થઈ ગયો છે કે, ICC એલિટ પેનલના અમ્પાયર આવતા મહિને તેની એશિઝમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. જૂન 2020માં ICC એલિટ પેનલમાં સામેલ મેનન કોરોના રોગચાળાને કારણે વિદેશીઓ પરના પ્રવાસ પ્રતિબંધને કારણે ભારતની મોટાભાગની સ્થાનિક મેચોમાં અમ્પાયરિંગ કરતા જોવા મળ્યા છે.

તેણે UAE અને ઑસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપની મેચોમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું અને ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં તે અમ્પાયરિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે જૂન 2020થી અત્યાર સુધીમાં 15 ટેસ્ટ, 24 વનડે અને 20 T20 મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. એશિઝ પહેલા મીડિયા સૂત્રો સાથે વાત કરતા મેનને કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં આટલી બધી મેચોનું અમ્પાયરિંગ તેમના માટે ફાયદાકારક રહ્યું છે.

તેમણે કહ્યું કે, 'પ્રથમ બે વર્ષ ભારતીય ઉપખંડમાં કામ કરવું અદ્ભુત રહ્યું હતું. ટેસ્ટ મેચોમાં અને ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં બે T20 વર્લ્ડ કપમાં પણ અમ્પાયરિંગ કર્યું. હું સર્વશ્રેષ્ઠ મેચ અધિકારીઓ અને ખેલાડીઓ સાથે કામ કરી રહ્યો છું, જેને કારણે મારા અનુભવમાં વધારો થયો છે. તેનાથી મને મારી જાતને જાણવાની તક પણ મળી કે, હું દબાણમાં કેવું વર્તન કરું છું.'

મેનન છેલ્લી ત્રણ એશિઝ ટેસ્ટમાં કામ કરશે અને દબાણને સંભાળવા માટે તે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેણે કહ્યું, 'ભારતીય ટીમ જ્યારે ભારતમાં રમે છે ત્યારે તેના વિશે ઘણી ઉત્તેજિત હોય છે. ભારતીય ટીમના ઘણા મોટા સ્ટાર્સ તમારા પર દબાણ બનાવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાની તરફેણમાં 50-50 નિર્ણય લેવાનો પ્રયાસ કરતા રહે છે, પરંતુ અમે દબાણમાં પણ નિયંત્રણ ગુમાવતા નથી અને તેમની માંગણીઓ પર ધ્યાન આપતા નથી.'

તેણે કહ્યું, 'આનાથી એ સાબિત થાય છે કે, હું કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું. તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે.' મેનન માને છે કે અમ્પાયરોએ પણ ખેલાડીઓની જેમ શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું પડે છે. તેણે કહ્યું, 'જીમમાં સમય પસાર કરવો અને સારું ખાવું મહત્વપૂર્ણ છે. વધુ મેચો, મેચ ફિટનેસ તેટલી વધુ સારી રહેશે, કારણ કે વ્યક્તિએ છ-સાત કલાક ઊભા રહેવું પડે છે. હું અઠવાડિયાના છ દિવસ જીમમાં 75 મિનિટ વિતાવું છું. માનસિક મજબૂતી માટે કંઈ કરવું પડતું નથી, તમે જેટલી વધુ મેચો રમો છો તેટલું વધુ દબાણ આવે છે અને તમે દબાણનો સામનો કરવા તૈયાર થાવ છો.'

એશિઝની તૈયારી અંગે તેણે કહ્યું, 'તે એક શાનદાર શ્રેણી હશે. મેં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીમાં અમ્પાયરિંગ કર્યું હતું. હું જાણું છું કે 'બેઝબોલ' શું છે અને શું અપેક્ષા રાખવી. દરેક મેચમાં ઘણું બધું દાવ પર લાગેલું હશે, પરંતુ હું મૂળભૂત બાબતોનું પાલન કરીશ અને તે મુજબ નિર્ણય લઈશ.'

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.