ભારત-પાકિસ્તાન વચ્ચે ગુજરાતમાં થઈ શકે છે વર્લ્ડ કપ મેચ

ICC વન-ડે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. તે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ થઈ શકે છે. વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મો સ્ટેડિયમમાં રમાઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અમદાવાદના વેન્યૂ પર મહોર લગાવવાનું છે. જો કે, તેને લઈને અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વન-ડે મેચ વર્લ્ડ કપ 2019માં રમાઈ હતી. ત્યારબાદ વન-ડે ફોર્મેટમાં બંને ટીમો સામસામે રમી નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચોની આખા વિશ્વના ફેન્સ રાહ જોતા હોય છે. હવે આ બંને જ ટીમો વર્લ્ડ કપમાં સામસામે થશે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયામાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસી શકે છે. BCCI ભારતીય ટીમના મેનેજમેન્ટ સાથે તેને લઈને વાતચીત કરશે. રિપોર્ટ્સ મુજબ, વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ શકે છે અને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ નવેમ્બરમાં રમાશે.

નાગપુર, બેંગ્લોર, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાળાને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની બધી મેચ સુરક્ષાના કારણોથી ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં રમાઈ શકે છે. BCCIએ અત્યાર સુધી વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત કરી નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સમાપ્ત થયા બાદ બોર્ડ શેડ્યૂલની જાહેરાત કરશે, પરંતુ તેના પર ઝડપથી કામ થઈ રહ્યું છે. દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાંથી એક IPLની ફાઇનલ મેચ અમદાવાદમાં જ રમાશે.

રિપોર્ટ્સ મુજબ, જો બધુ શેડ્યૂલ મુજબ થાય છે તો ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ થઈ જશે. જો કે, આ વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમના ભરત આવવાની સ્થિતિ પર અત્યાર સુધી કશું જ સ્પષ્ટ થઈ શક્યું નથી. ઉલ્લેખનીય છે કે BCCI સચિવ જાય શાહ સ્પષ્ટ કરી દીધું હતું કે, ભારતીય ટેએમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય, ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારી પણ વર્લ્ડ કપમાંથી હટવાની ધમકી આપવા લાગ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વન-ડે મેચ વર્લ્ડ કપ 2019માં રમાઈ હતી. ભારતે મેચમાં ડેકવર્થ લુઈસના નિયમથી 89 રનોથી જીત હાંસલ કરી હતી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 336 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાની ટીમ 40 ઓવરોમાં 212 રન જ બનાવી શકી હતી. તેમને વરસાદના કારણે 302 રનોનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. ભારત માટે રોહિત શર્માએ 140 રનોની યાદગાર ઇનિંગ રમી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.