જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું-એશિયા કપમાં ભારત-પાકિસ્તાન એક ગ્રુપમાં હશે કે નહીં

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ જય શાહે વર્શ 2023 અને વર્ષ 2024માં થનારા ટૂર્નામેન્ટની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ફેન્સની સૌથી પહેલી નજર આ વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ 2023 પર પડી. જય શાહની ટ્વીટ મુજબ, સપ્ટેમ્બરમાં એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં હશે. તો અન્ય ગ્રુપમાં ગત ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે.

જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં  જ થશે કે નહીં. આ ટૂર્નામેન્ટની મેજબાની સત્તાવાર રૂપે પાકિસ્તાન પાસે છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ હોવાના કારણે જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. જય શાહે ટ્વીટ કરતા લખ્યું કે, ‘વર્ષ 2023 અને વર્ષ 2024 માટે ACCનો પાથવે સ્ટ્રક્ચર અને ક્રિકેટ કેલેન્ડર રજૂ કરી રહ્યો છું. તે આ રમતને નવી ઊંચાઇઓ પર લઇ જવાન અમારા અદ્વિતીય પ્રયાસો અને ઝનૂનને દર્શાવે છે.

શાનદાર પ્રદર્શન માટે તૈયાર દેશોના ક્રિકેટરો સાથે, આ ક્રિકેટ માટે એક સારો સમય હોવાનો વાયદો કરે છે. એશિયા કપ 2023માં લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઇનલ મળીને કુલ 13 મેચ રમાશે. જો કે, અત્યાર સુધી આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ સામે આવ્યું નથી. T20 વર્લ્ડ કપ 2022 પહેલા જય શાહે એન્યૂઅલ જનરલ મીટિંગ (AGM)માં સ્પષ્ટ કરી દીધું હતું કે, એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને આ ટૂર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ પર શિફ્ટ કરવામાં આવશે. BCCI સચિવ જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

પાકિસ્તાનમાં લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની વાપસી થવા જઇ રહી છે અને ટૂર્નામેન્ટ પહેલા આ નિવેદન મેજબાનો માટે ખૂબ મોટો ઝટકો છે. જય શાહના નિવેદન બાદ પાકિસ્તાનથી એવું પણ નિવેદન વ્યય હતા કે, જો ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ 2023 માટે ભારત નહીં જાય. ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2008 બાદ પાકિસ્તાન ગઇ નથી. વર્ષ 2008 એશિયા કપ માટે ભારતીય ટીમ છેલ્લી વખત પાકિસ્તાન ગઇ હતી. બંને દેશો વચ્ચે ખરાબ રાજનૈતિક સંબંધોના કારણે લાંબા સમયથી દ્વિપક્ષીય સીરિઝ રમાઇ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન જ રમાય છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.