રાજકોટમાં રમાશે અંતિમ T20, જાણો કેવો છે અહીં ભારતીય ટીમનો રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સીરિઝ રમાઈ રહી છે. 3 મેચોની T20 સીરિઝમાં બંને ટીમો 1-1 થી બરાબરી પર છે. હવે સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ શનિવારે રાજકોટમાં રમાશે. જો અહીંના અત્યાર સુધીના રેકોર્ડ પર નજર નાખીએ તો તે ભારત માટે સારો રહ્યો છે. ભારતીય ટીમ અહીં 4માંથી 3 T20 મેચ જીતી છે. ભારતીય ટીમે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી 4 ઇન્ટરનેશનલ T20 મેચ રમી છે. આ દરમિયાન 3 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો.

ભારતીય ટીમે અહીં પહેલી T20 મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓક્ટોબર 2013માં રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત હાંસલ કરી હતી. ત્યારબાદ બીજી મેચ નવેમ્બર 2017માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમને 40 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે વર્ષ 2019 અને વર્ષ 2022માં મેચ જીતી. તેણે બાંગ્લાદેશ 8 વિકેટે જ્યારે દક્ષિણ આફ્રિકન ટીમને 82 રને હરાવી હતી. હવે ભારતીય ટીમ રાજકોટમાં શ્રીલંકા વિરુદ્ધ આગામી મેચ રમશે.

શ્રીલંકન ટીમ આ મેદાનમાં પહેલી વખત કોઈ મેચ રમશે. આ મેચ 3 મેચોમાંથી T20 સીરિઝ માટે નિર્ણાયક સાબિત થશે. રાજકોટમાં ભારત માટે રોહિત શર્માએ સૌથી વધુ T20 રન બનાવ્યા છે. તેણે અહીં 3 ઇન્ટરનેશનલ મેચોમાં 98 રન બનાવ્યા છે. આ મામલે વિરાટ કોહલી બીજા નંબર પર છે. વિરાટ કોહલીએ 2 મેચોમાં 94 રન બનાવ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અહીં 1-1 અડધી સદી બનાવી છે. યુવરાજ સિંહ 77 રનો સાથે ત્રીજા નંબર પર છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની પાંચમા નંબર પર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 73 રન બનાવ્યા છે.

જો બીજી T20 મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા શ્રીલંકન ટીમે કુસાલ મેન્ડિસ (52) અને કેપ્ટન દાસૂન સનાકા (56)ની મદદથી સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રનનો સ્કોર બનાવ્યો હતો, ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઉમરાન મલિક (3 વિકેટ) લીધી, જ્યારે અક્ષર પટેલને 2 અને યુઝવેન્દ્ર ચહલને 1 વિકેટ મળી. 207 રનના વિશાળ ટારગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને રન માત્ર 190 રન જ બનાવી શકી હતી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.