બૂમરાહ, ઐય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા અને કેએલ રાહુલની વાપસી પર આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે વેસ્ટ ઇન્ડીઝમાં ટેસ્ટ સીરિઝ રમી રહી છે. વેસ્ટ ઇન્ડીઝમાં ભારતીય ટીમ 2 મેચોની ટેસ્ટ સીરિઝ બાદ 3 મેચોની વન-ડે અને 5 મચોની T20 સીરિઝ પણ રમશે. હાલમાં ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 144 રને જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડી ઇજાગ્રસ્ત હોવાના કારણે આ પ્રવાસ પર ટીમ સાથે નથી. જો કે, આ દરમિયાન આ ખેલાડીઓની વાપસીને લઈને સારા સમાચાર સામે આવ્યા છે.

ભારતીય ટીમના મુખ્ય ખેલાડી જસપ્રીત બૂમરાહ, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર અને પ્રસિદ્ધ કૃષ્ણા લાંબા સમયથી ઇજાગ્રસ્ત હોવાના કારણે ક્રિકેટથી દૂર છે. જો કે, ફેન્સ કાગડોળે પોતાના પસંદગીના ખેલાડીઓની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફેન્સને ખુશ કરી દેનારો એક રિપોર્ટ સામે આવ્યો છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ, વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા 2023 વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ રહેશે.

રિપોર્ટમાં બધા ઇજાગ્રસ્ત ખેલાડીઓને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ, ઑપનર વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ આ અઠવાડિયાથી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દેશે. રાહુલ IPL 2023 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ મેચમાં ફિલ્ડિંગ કરવા દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. તો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગ શરૂ કરી દીધી છે. તે ઇજાગ્રસ્ત હોવાના કારણે IPL 2023નો હિસ્સો બની શક્યો નહોતો.

જસપ્રીત બૂમરાહ લાંબા સમયથી પીઠમાં દુઃખાવાના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. તે IPL 2023 અને T20 વર્લ્ડ કપમાં હિસ્સો લઈ શક્યો નહોતો. તો શ્રેયસ ઐય્યર પણ ઇજાગ્રસ્ત હોવાના કારણે IPL 2023માં હિસ્સો લઈ શક્યો નહોતો. જો કે, હવે આ બંને ખેલાડી આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝથી વાપસી કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્રેયસ ઐય્યર અને જસપ્રીત બુમરાહ આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે.

એક રિપોર્ટ મુજબ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમારહ લાંબી ઇજાથી બહાર આવ્યા બાદ પોતાની પૂરી ફિટનેસ હાંસલ કરવા નજીક છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, માર્ચમાં પીઠની સર્જરી કરાવ્યા અને બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં સફળતાપૂર્વક રિહેબિલિટેશન બાદ બૂમરાહે ગયા મહિને બોલિંગ ફરીથી શરૂ કરી દીધી છે. સાથે જ તે ધીરે ધીરે પૂરી ક્ષમતાથી બોલિંગ તરફ ફરી રહ્યો છે. NCA પ્રમુખ વી.વી.એસ. લક્ષ્મણની દેખરેખમાં તે પોતાનું રિહેબ કરી રહ્યો છે. તે હાલના દિવસોમાં નેટ્સ પર પૂરા જોશ સાથે બોલિંગ કરી રહ્યો છે. રોજ 8-10 ઓવર બોલિંગ કરી રહ્યો છે.

About The Author

Top News

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.