3 વર્ષથી સદી ન બનાવવા પર રોહિત શર્માએ તોડ્યું મૌન, બોલ્યો- મને ખબર છે, પણ..

ભારતીય ટીમે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 8 વિકેટે જીત હાંસલ કરી. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે સીરિઝ પણ જીતી લીધી છે. માત્ર 109 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્માએ અહીં 50 બૉલમાં 51 રનની ઇનિંગ રમી. મેચ બાદ રોહિત શર્માને તેના ફોર્મ અને લાંબા સમયથી સદી ન બનાવવાને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર રોહિત શર્માએ કહ્યું કે, તે જે પ્રકારે રમી રહ્યો છે એ પ્રદર્શનથી ખુશ છે.

રોહિત શર્માએ છેલ્લા 3 વર્ષથી વન-ડેમાં કોઇ સદી બનાવી નથી. જાન્યુઆરી 2020માં તેણે છેલ્લી વખત કોઇ સદી બનાવી હતી. રોહિત શર્માને જ્યારે સદી ન આવવાને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, હું પોતાની રમત બદલવાના પ્રયત્નમાં છું અને શરૂઆતથી જ બોલર્સ પર દબાવ બનાવી રહ્યો છું. વિરોધી ટીમ પર પણ દબાવ બનાવવો ખૂબ જરૂરી છે. મને ખબર છે કે મોટા સ્કોર આવ્યા નથી, પરંતુ તે વધારે ચિંતિત નથી. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, હું પોતાની બેટિંગથી સંતુષ્ટ છું. મારો અપ્રોચ સારો છે અને હું જે પ્રકારે પ્રદર્શન કરી રહ્યો છું તેનાથી સંતુષ્ટ છું.

તેણે અગાળ કહ્યું કે, મને ખબર છે કે મોટો સ્કોર પણ બસ નજીક જ છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ બીજી વન-ડે મેચમાં 51 રનોની ઇનિંગ રમી હતી, જેમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ રહ્યા. આ વર્ષે ભારતીય ટીમે પોતાના ઘર આંગણે વર્લ્ડ કપ રમવાનો છે એવામાં ભારતીય ટીમને આશા છે કે કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં આવે. રોહિત શર્માઅને વન-ડે ક્રિકેટનો લીજેન્ડ માનવામાં આવે છે. તે વન-ડે ક્રિકેટમાં 10 હજાર રનોની ખૂબ જ નજીક છે.

જો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી વન-ડે મેચની વાત કરીએ તો ભારતીય ટીમે અહીં 8 વિકેટે જીત હાંસલ કરી છે. રોહિત શર્માએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. રોહિત શર્માનો આ નિર્ણય સાચો ઠર્યો અને ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને ભારતે 108 રનો પર ઢેર કરી દીધી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી, હાર્દિક પંડ્યા એન વૉશિંગટન સુંદરે 2-2, જ્યારે મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી. 109 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 20.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.