ભારતીય ટીમની WC અગાઉ હુંકાર, 4 વર્ષથી અપરાજિત, 22 સીરિઝ પર કર્યો કબજો

ભારતીય ટીમે વર્લ્ડ કપ અગાઉ ઘર પર વધુ એક દ્વિપક્ષીય સીરિઝ જીતી લીધી છે. ભારતીય ટીમે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડની ટીમને 8 વિકેટે હરાવી દીધી. તેની સાથે જ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમે 3 મેચોની સીરિઝમાં 2-0થી અજેય લીડ હાંસલ કરી લીધી છે. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા બેટિંગ કરતા 108 રન પર જ સમેટાઇ ગઇ હતી. 8 ખેલાડી તો એવા રહ્યા જે ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. પ્લેયર ઓફ ધ મેચ રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 18 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી.

109 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 20.1 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન રોહિત શર્માએ 51 રન બનાવ્યા તો શુભમન ગિલે નોટઆઉટ 40 રન બનાવ્યા. ભારતીય ટીમ છેલ્લા 4 વર્ષમાં 24માંથી 22 સીરિઝ જીતી છે. જ્યારે 2 બરાબરની રહી એટલે કે ભારતીય ટીમે એક પણ સીરિઝ ગુમાવી નથી. આ વર્ષે વન-ડે વર્લ્ડ કપની મેચો ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ થવાની છે. એવામાં આ પરિણામ ટીમ માટે ઉત્સાહજનક કહી શકાય છે.

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ અગાઉ શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝ 2-1થી જ્યારે વન-ડે સીરિઝ 3-0થી પોતાના નામે કરી. વર્ષ 2019થી ઘર પર રમાયેલી છેલ્લી 24 દ્વિપક્ષીય સીરિઝની વાત કરીએ તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સીરિઝ 1-1થી બરાબરી પર રહી, પછી ટીમે દક્ષિણ આફ્રિકન ટીમને ટેસ્ટ સીરિઝ 3-0થી હરાવી. બાંગ્લાદેશી ટીમને T20 સીરિઝમાં 2-1થી, જ્યારે ટેસ્ટ સીરિઝમાં 2-0થી હરાવી. પછી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝની ટીમને વન-ડે અને T20 બંનેમાં 2-1થી હરાવી.

ત્યારબાદ ભારતીય ટીમે શ્રીલંકન ટીમને T20 સીરિઝમાં 2-0થી, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમને વન-ડે સીરિઝમાં 2-1થી હરાવી દીધી. ત્યારબાદ ઇંગ્લિશ ટીમને ટેસ્ટ સીરિઝમાં 3-1થી હરાવી. ભારતીય ટીમ અહીં જ ન રોકાઇ. ઇંગ્લેન્ડની ટીમને T20 અને વન-ડે સીરિઝ બંનેમાં હરાવી. હવે વારો ન્યૂઝીલેન્ડનો આવ્યો. ટીમે તેની વિરુદ્ધ T20 સીરિઝ 3-0થી જ્યારે ટેસ્ટ સીરિઝ 1-0થી જીતી.

ત્યારબાદ ટીમે વેસ્ટ ઇન્ડીઝની ટીમને વન-ડે અને T20 બંનેમાં 3-0થી હરાવી દીધી. ત્યારબાદ ભારતીય ટીમે શ્રીલંકન ટીમ વિરુદ્ધ T20 અને ટેસ્ટ સીરિઝમાં જીત હાંસલ કરી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝ 2-2થી બરાબર રહી. પછી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સીરિઝમાં 2-1થી જીત હાંસલ કરી. પછી ટીમે દક્ષિણ આફ્રિકન ટીમ વિરુદ્ધ T20 અને વન-ડે સીરિઝ જીતી. હવે વર્ષ 2023માં ટીમ સતત 3 દ્વિપક્ષીય સીરિઝ જીતી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ભારત વર્ષ 2011થી વર્લ્ડ કપ ટ્રોફીની રાહ જોઇ રહ્યું છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.