વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ટેસ્ટથી પૂજારાની છુટ્ટી, ODIમાં...

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે અને ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ અને વન-ડે સીરિઝમાં રોહિત શર્મા જ ટીમની કેપ્ટન્સી કરશે. ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેનું પ્રમોશન થયું છે અને તેને ટેસ્ટ સીરિઝ માટે ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને પહેલી વખત ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. યશસ્વી જયસ્વાલને આ જ મહિને થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

તો ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને નવદીપ સૈનીને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મોહમ્મદ શમીને વન-ડે અને ટેસ્ટ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. વન-ડે ટીમમાં ઉમરાન મલિક અને સંજુ સેમસનની વાપસી થઈ છે. ઋતુરાજ ગાયકવાડને વન-ડે ટીમમાં પણ સિલેક્ટ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમ પહેલા 2 ટેસ્ટ મેચ રમશે. પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનમાં આયોજિત થશે. ત્રણ મેચોની વન-ડે સીરિઝની વાત કરવામાં આવે તો તે 27 જુલાઈથી શરૂ થશે, તો 5 મેચોની T20 સીરિઝ 3 ઑગસ્ટથી આયોજિત કરવામાં આવશે.

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શાર્દૂલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમનું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ મેચ: 12-16 જુલાઇ, ડોમિનિકા.

બીજી ટેસ્ટ મેચ: 20-24 જુલાઇ, પોર્ટ ઓફ સ્પેન.

પહેલી વન-ડે મેચ: 27 જુલાઇ, બ્રિજટાઉન

બીજી વન-ડે મેચ: 29 જુલાઇ, બ્રિજટાઉન

ત્રીજી વન-ડે મેચ: 1 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.

પહેલી T20 મેચ: 3 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.

બીજી T20 મેચ: 6 ઑગસ્ટ, ગુયાના.

ત્રીજી T20 મેચ: 8 ઑગસ્ટ, ગુયાના.

ચોથી T20 મેચ: 12 ઑગસ્ટ, ફ્લોરિડા.

પાંચમી T20 મેચ: 13 ઑગસ્ટ, ફ્લોરિડા.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.