રિષભ પંત પર સંક્રમણનો ડર, ક્રિકેટ બોર્ડે આ મોટી સુવિધા આપવાની કહી વાત

ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું 30 ડિસેમ્બરના રોજ એક ભયાનક એક્સિડન્ટ થઇ ગયું હતું. ત્યારબાદ તેને એક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ દેહરાદૂન સ્થિત મેક્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેની ઇજા પર પણ અપડેટ આપ્યું હતું, જેમાં તેની ઘણી જગ્યાએ ઇજા થઇ છે અને તેની હાલત ગંભીર બતાવી હતી. હાલમાં જ તેની તબિયતને લઇને મોટું અપડેટ આવ્યું હતું, જેમાં તે સારો હોવાનું કહેવામાં આવ્યું હતું અને તેને જલ્દી જ ICUમાંથી પ્રાઇવેટ સુઇટમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)એ તેની પાછળનું કારણ બતાવતા કહ્યું કે, ઇન્ફેક્શનના ડરથી તેને પ્રાઇવેટ સુઇટમાં શિફ્ટ કરવા કહેવામાં આવ્યું છે. DDCAના ડિરેક્ટર શ્યામ શર્માએ એક ન્યૂઝ એજન્સીને આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, સંક્રમણના ડરથી અમે તેના પરિવાર અને હૉસ્પિટલ પ્રશાસનને તેને પ્રાઇવેટ સુઇટમાં શિફ્ટ કરવા કહ્યું છે. તે સારો થઇ રહ્યો છે અને જલ્દી જ સારો થઇ જશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે જાહેરાત કરી હતી કે, 30 ડિસેમ્બરના રોજ રુડકી પાસે દુર્ઘટનામાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા 25 વર્ષીય ભારતીય ખેલાડી રિષભ પંતની સારવાર માટે રાજ્ય સરકાર દરેક સંભવિત મદદ ઉપલબ્ધ કરાવશે.

રિષભ પંતને આ અકસ્માતમાં ઘણી જગ્યાએ ઇજા થઇ છે. જેને લઇને BCCIએ અપડેટ આપ્યું હતું અને કહ્યું હતું કે, રિષભ પંતના માથા પર બે કટ લાગ્યા છે, તેને જમણા ઘૂંટણમાં લીગામેન્ટ ફાટી ગયું છે અને તેની જમણી કલાઇ, ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઇજા થઇ છે. સાથે જ તેની પીઠ પર ઘર્ષણની ઇજા પણ લાગી છે. રિષભ પંતની હાલત સ્થિર છે અને હવે મેક્સ હૉસ્પિટલ, દેહરાદૂનમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે, જ્યાં તેની ઇજા કેટલી ગંભીર છે તેની જાણકારી મેળવવા માટે MRI સ્કેન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 30 ડિસેમ્બરની સવારે એક ભયાનક કાર દુર્ઘટનાનો શિકાર થઇ ગયો. જ્યારે તે ઉત્તરાખંડમાં પોતાના ગૃહનગર રુડકી જઇ રહ્યો હતો. તેની કાર અચાનક ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ અને તેમાં આગ લાગી ગઇ. રિષભ પંતે બહાર નીકળવા માટે વિન્ડ સ્ક્રીન તોડી દીધી, ત્યારબાદ દુર્ઘટનાસ્થળે પહોંચેલા હરિયાણા રોડવેઝના બસ ચાલક અને કંડક્ટરે તેની મદદ કરી હતી. ત્યારબાદ ડેપો દ્વારા એ ડ્રાઇવર અને કંડકટરનું સન્માન કરવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.