5 છગ્ગા ખાનારો યશ શા માટે નથી રમી રહ્યો મેચ, હાર્દિકે કહ્યું એનું 8 કિલો વજન....

IPL 2023ની 35મી મેચમાં ગુજરાતની ટીમે મુંબઈને 55 રનોથી હરાવી. આ મેચમાં ગુજરાત તરફથી યશ દયાલ ના રમ્યો. જ્યારે ગુજરાતે જીત મેળવી તો સવાલ ઉઠ્યો કે આખરે યશ દયાલ ક્યાં છે અને મેચ શા માટે નથી રમી રહ્યો? તેને લઇને કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટો ખુલાસો કર્યો છે. પંડ્યાએ જણાવ્યું કે, તબિયત ખરાબ હોવાના કારણે તે મેચ નથી રમી રહ્યો.

મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ જીત મેળવ્યા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ યશ દયાલની હેલ્થ વિશે અપડેટ આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, KKR વિરુદ્ધ મેચ રમ્યા બાદ યશ દયાલ બીમાર પડી ગયો હતો અને આ જ કારણે તેનું વજન 7-8 કિલો જેટલું ઓછું થઈ ગયુ છે. તે સમયે વાયરલ પણ ફેલાયેલો હતો. જે પ્રકારના પ્રેશરનો સામનો તેણે કરવો પડ્યો હતો, તે હાલ સારી કંડિશનમાં નથી કે મેદાનમાં આવી શકે. તેને મેદાનમાં આવતા હજુ થોડો સમય લાગશે.

જણાવી દઈએ કે, IPL 2023 ની 13મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો સામસામે હતી. આ મેચમાં KKRને છેલ્લી ઓવરમાં 29 રનોની જરૂર હતી. રિંકૂ સિંહ ક્રીઝ પર હતો અને ગુજરાત માટે યશ દયાલ છેલ્લી ઓવર નાંખવા આવ્યો હતો. બધાને લાગ્યું હતું કે, આટલા રન તો નહીં જ બનશે અને ગુજરાત ટાઇટન્સ સરળતાથી આ મેચ જીતી જશે પરંતુ, રિંકૂ સિંહે 5 છગ્ગા ફટકારીને મેચનું પાસું પલ્ટી નાંખ્યું હતું.

રિંકૂ સિંહે 20મી ઓવરની બીજી બોલથી સતત 5 છગ્ગા ફટકારીને 31 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી દીધી હતી. આ ઓવરમાં 5 છગ્ગા ખાનારો યશ દયાલ ખૂબ જ હતાશ અને નિરાશ દેખાઈ રહ્યો હતો અને ગુજરાતના પ્લેયર્સે તેને સાંત્વના આપી હતી. તે મેચ બાદથી જ યશ દયાલ પ્લેઇંગ 11નો હિસ્સો નથી.

યશ જમણા હાથનો ફાસ્ટ બોલર છે. તેમજ, IPLમાં બીજી સિઝન રમી રહ્યો છે. IPL 2022ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે 3.2 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. યશે પોતાની ડેબ્યૂ સિઝનમાં 9 મેચમાં 11 વિકેટ લીધી હતી. જોકે, તેની બીજી સિઝન સારી નથી રહી. યશે આ સિઝનમાં કુલ ત્રણ મેચ રમી છે અને તેને એક પણ વિકેટ નથી મળી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.