શું દ્રવિડને સાઇડલાઇન કરવાની યોજના બનાવી રહ્યું છે બોર્ડ?સામે આવ્યો BCCIનો પ્લાન

શ્રીલંકા વિરુદ્ધ T20 અને વન-ડે સીરિઝની જાહેરાત થઇ તો ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ પોતાના ઇરાદા ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધા છે. આ વખત મોટા નામો પર ગાજ પડી છે. ઉપકેપ્ટન કે.એલ. સાથે-સાથે વન-ડેમ મોટા ભાગે કાર્યવાહક કેપ્ટનની ભૂમિકામાં નજરે પડનારા શિખર ધવનને પણ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. બોર્ડ પહેલા જ T20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ ચેતન શર્માના નેતૃત્વવાળી સિલેક્શન સમિતિને સસ્પેન્ડ કરી ચૂક્યું છે.

એવામાં હવે માનવામાં આવી રહ્યું છે કે, આ સંદર્ભે આગામી નંબર હેડ કોચ રાહુલ દ્રવિડનો છે. ચેતન શર્મા માત્ર નવી સિલેક્શન સમિતિ બને ત્યાં સુધી ભારતીય ટીમના કાર્યવાહક સિલેક્ટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ BCCIએ રાહુલ દ્રવિડ પર કાતર ફેરવવાનું મન બનાવી લીધું છે. બોર્ડ ભારતીય ટીમની કોચિંગના 2 ભાગોમાં વહેંચવાની થિયોરી પર વિચાર કરી રહ્યું છે.

BCCIના ઉચ્ચ અધિકારીએ ઇચ્છે છે કે, T20 ફોર્મેટમાં કોઇ વિદેશી કોચને ચાંસ આપવામાં આવે. જ્યારે વન-ડે અને ટેસ્ટમાં રાહુલ દ્રવિડ કોચના રૂપમાં પોતાનો કાર્યકાળ પૂરો કરે. એક BCCI અધિકારીએ સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા કહ્યું કે, અત્યારે કશું જ ફાઇનલ નથી. અમે કેટલાક વિકલ્પોની શોધ કરી રહ્યા છે. રાહુલ દ્રવિડ અમારા પ્લાનમાં છે, પરંતુ તેમના પર ખૂબ વર્કલોડ છે. અમારું ફોકસ આ સમયે ભારતમાં થનારા વર્લ્ડ કપ પર છે. તેના માટે સંદેશ સ્પષ્ટ છે.

આપણે વર્લ્ડ કપ જીતવો જ પડશે. તો અત્યારે T20 તરફ અમારું ફોકસ નથી. આ સમયે ઘણા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કોઇ પણ પ્રકારે અંતિમ નિર્ણય માટે ક્રિકેટ એડવાઇઝરી કમિટી અને સિલેક્ટર્સને તેમાં સામેલ કરવા પડશે અને આ બધી વસ્તુઓમાં ખૂબ સમય લાગવાનો છે. ક્રિકેટ એડવાઇઝરી કમિટી આ સમયે નવા સિલેક્ટર્સની નિમણૂકની પ્રક્રિયામાં લાગી છે. ગત દિવસોમાં સતત અરજી આપનારા પૂર્વ ક્રિકેટર્સના ઇન્ટરવ્યૂ થયા છે.

નવા સિલેક્ટર્સ અને આખી પેનલના નામની જાહેરાત કરી શકે છે. રાહુલ દ્રવિડને T20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. તેમની આગેવાનીમાં ભારતીય ટીમે સતત ઘણી દ્વિપક્ષીય સીરિઝ પોતાના નામે કરી, પરંતુ મલ્ટિનેશનલ ટૂર્નામેન્ટ્સમાં કમાલ ન થઇ શક્યો. એશિયા કપ T20 વર્લ્ડ કપ 2022માં મળેલી હાર બાદ હવે નવી માગ થવા લાગી હતી. ભારતીય ટીમ સતત ક્રિકેટ રમી રહી છે. ઘણી વખત રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં V.V.S. લક્ષ્મણ ભારતીય ટીમની ભૂમિકામાં નજરે પડે છે. જે અત્યારે NCAના ડિરેક્ટર છે. એવામાં હવે એ સંભવ છે કે T20 ફોર્મેટ માટે અલગ કેપ્ટન અને અલગ કોચિંગ સ્ટાફ જોવા મળે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.