વિરાટે ખરેખર ટ્રેન અકસ્માત માટે દાન કર્યા 30 કરોડ? જાણો શું છે હકીકત

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત રૂવાટા ઊભા કરી દેનારો રહ્યો. આ અકસ્માત એટલો મોટો રહ્યો કે તેની ગણતરી ભારતના સૌથી મોટા રેલ અકસ્માતમાં થવા લાગી. તેનું કારણ છે તેમાં મૃતકો અને ઇજાગ્રસ્તોની સંખ્યા. લંડનથી વિરાટ કોહલીએ પણ ટ્વીટ કરીને આ મોટા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને હવે એવા સમાચાર વહેતા થયા છે કે, તેણે આ ટ્રેન અકસ્માતના રીલિફ ફંડમાં દાન પણ કર્યું છે, પરંતુ સવાલ એ છે કે શું તેમાં કોઈ હકીકત છે?

શું હકીકતમાં વિરાટ કોહલીએ ઓરિસ્સા ટ્રેન અકસ્માત માટે મદદનો હાથ વધારતા રૂપિયા દાન કર્યા છે? અને જો કર્યા છે તો કેટલા? તો આવો આ આખા મામલે તપાસ કરીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે આ સમાચારોમાં કેટલો દમ છે. એવા સમાચાર છે કે વિરાટ કોહલીએ ઓરિસ્સા રેલ અકસ્માતના રીલિફ ફંડમાં 30 કરોડ રૂપિયા દાન કર્યા છે. હવે પહેલી વસ્તુ કે એવું અમે જરાય કહી રહ્યા નથી. આ વાતો સોશિયલ મીડિયા પર સામે આવી છે, પરંતુ શું છે કે દરેક વખત સોશિયલ મીડિયા પર જે ખબરો હોય છે, તે એવી હોતી નથી જે આપણને દેખાય છે. એટલે આ ખબરને પણ પચાવી શકવું મુશ્કેલ થઈ રહ્યું છે.

ભલે સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરમાં વિરાટ કોહલીને મોટો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે મોટો ખેલાડી છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેના રૂપિયા દાન કરનારા સમાચારોમાં કોઈ હકીકત નથી. એક તો તેના કોઈ પૂરતા અને યોગ્ય પુરાવા નથી. ન તો તેની તરફથી તેના પર કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે ટ્વીટ કરવામાં આવ્યું છે. અહી સુધી કે કોઈ સત્તાવાર નિવેદન પણ મળ્યું નથી, જે એવો દાવો કરે છે કે વિરાટ કોહલીએ એવું કંઈક કર્યું છે.

બરાબર એવા જ સમાચાર મહેન્દ્ર સિંહ ધોનને લઈને પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે તે મહિલા પહેલવાનો સાથે છે અને જરૂરિયાત પડવા પર તે પોતાના મેડલ પરત કરી દેશે, પરંતુ આ સમાચારોની પણ જ્યારે અમે તપાસ કરી તો પરિણામ કંઈ ખાસ ન મળ્યું. સોશિયલ મીડિયા પર ધોની સાથે જોડાયેલા એવા સમાચારોમાં પણ દમ નથી. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ IPL ફાઇનલ બાદ મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવી છે અને તેની સાથે જોડાયેલી હકીકત બસ એટલી છે કે તે હાલમાં પોતાની ઈજામાંથી બહાર આવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.