કિશને જણાવ્યું-કોના કહેવા પર નંબર-4 પર બેટિંગ કરવા ઉતરેલો, રોહિતનો નહોતો નિર્ણય

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોએ મેજબાન બોલરોનો ઉધળો લઈ લીધો. માત્ર 24 ઓવરમાં જ ટીમે 181 રનો પર પોતાની બીજી ઇનિંગ ડિક્લેકર કરીને વેસ્ટ ઇન્ડીઝને 365 રનોનું લક્ષ્ય આપ્યું છે. ભારતીય ટીમ માટે આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા સિવાય ઇશાન કિશન ચમક્યા. ઇશાન કિશનને બીજી ઇનિંગમાં વિરાટ કોહલીની જગ્યાએ નંબર-4 પર બેટિંગ કરવાનો સોનેરી અવસર મળ્યો અને આ બેટ્સમેને તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.

બીજી ઇનિંગમાં ઇશાન કિશને 34 બૉલમાં 4 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી નોટઆઉટ 52 રનોની ઇનિંગ રમી. પરંતુ શું તમે જાણો છો કે ઇશાન કિશનને નંબર 4 પર મોકલવાનો નિર્ણય કેપ્ટન રોહિત શર્માનો નહોતો. જી હાં, ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ ઇશાન કિશને પોતે તેનો ખુલાસો કર્યો હતો. ઇશાન કિશને ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ પોતાની ઇનિંગ અને ચોથા નંબર પર મોકલવાના નિર્ણય પર કહ્યું કે, હકીકતમાં તે ખાસ હતું. હું જાણતો હતો કે ટીમને મારી પાસે શું જોઈએ છે. બધાએ મારું સમર્થન કર્યું.

વિરાટ કોહલીએ મારું સમર્થન કર્યું અને મને કહ્યું કે, જા અને પોતાની રમત રમ. આશા રાખીએ છીએ કે અમે કાલે રમત સમાપ્ત કરી દઇશું. એ વિરાટ ભાઈ જ હતો, જેણે પહેલ કરી કે મારે અંદર જવું જોઈએ. ત્યાં એક ડાબા હાથનો બોલર હતો, જે બોલિંગ કરી રહ્યો હતો. આ ટીમ માટે એક સારો કોલ હતો. ક્યારેક ક્યારેક તમારે આ કોલ લેવાની જરૂરિયાત હોય છે. એ સિવાય ઇશાન કિશને ટીમના પ્લાન બાબતે વાત કરતા કહ્યું કે, અમારી યોજના હતી કે અમે વરસાદના બ્રેક બાદ 10-12 ઓવર રમીશું અને 70-80 રન બનાવીશું. અમે 370-380નું લક્ષ્ય ઇચ્છતા હતા.

જો મેચની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 438 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 255 રન પર જ સમેટાઇ ગઈ હતી. પહેલી ઇનિંગમાં ભારતીય ટીમને 183 રનની લીડ મળી હતી. જ્યારે ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ 181 રનના સ્કોર પર દાવ ડિક્લેર કરી દીધો હતો અને વેસ્ટ ઇન્ડીઝને 365 રનોનું લક્ષ્ય આપ્યું છે. ચોથા દિવસની રમત સમાપ્ત થવા સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે 2 વિકેટ ગુમાવીને 76 રન બનાવી લીધા છે. વેસ્ટ ઇન્ડીઝ હાલમાં જીતથી 289 રન દૂર છે, તો ભારતીય ટીમને જીત માટે 8 વિકેટની જરૂરિયાત છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.