વિવાદિત નિવેદન પર પલટ્યો મિયાદાદ, બોલેલો- ભારતને પાકિસ્તાન ન આવવું હોય તો...

પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મિયાદાદે થોડા દિવસ અગાઉ ભારતના પાકિસ્તાન પ્રવાસ પર આપત્તિજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો ભારત પાકિસ્તાન આવવા માગતુ નથી તો તે ભાડમાં જાય. જો કે, હવે તેણે આ નિવેદન પર પલટી મારી છે. તેણે એમ પણ કહ્યું કે, જો ભારત પાકિસ્તાનમાં રમવા માટે આવવા માગતુ નથી તો અમને બોલાવી લો. અમે રમવા આવી જઈશું. ભારતે પાકિસ્તાનમાં એશિયા કપ રમવાની ના પાડી દીધી હતી.

જાવેદ મિયાદાદે નાદિર અલી પૉડકાસ્ટમાં ભારત અને પાકિસ્તાન સંબંધ પર બોલી રહ્યો હતો. યુટ્યુબ પર પ્રસારિત આ પૉડકાસ્ટ 47મી મિનિટમાં જાવેદ મિયાદાદને જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતે પાકિસ્તાન આવવું જોઈએ. તેના પર પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું કે, ભારતે બિલકુલ આવવું જોઈએ, આપણે પાડોશી છીએ. આપણે ઈચ્છીએ છીએ, જો તેઓ આવતા નથી તો અમને બોલાવી લો, અમે રમવા આવી જઈશું. આપણી ટીમ સિક્યોરિટીની પણ ચિંતા કરતી નથી.

આપણું માનવું છે કે જો મોત આવવી હોય તો આવી જશે. આપણે તો એ ઈચ્છીએ છીએ કે તે (ભારતીય ટીમ) પણ આવે કેમ કે આ વખત પાકિસ્તાન આવવાનો વારો તેનો છે. જાવેદ મિયાદાદને નાદિરે પૂછ્યું કે, તમે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે, જો ભારત પાકિસ્તાનના પ્રવાસે આવવા નથી માગતુ તો ભાડમાં જાય? આ સવાલ પર મિયાદાદે નાદિરને કહ્યું કે, બીજું શું કરીએ. મને કહે. પંજાબીમાં કહેવાય છે કે મટ્ટી પાઓ.. ખતમ કરો.

જાવેદ મિયાદાદ અહી જ ન રોકાયો અને કહ્યું કે, પાકિસ્તાનની ક્રિકેટ ટોપ માનવામાં આવે છે. પાકિસ્તાન ક્રિકેટમાં ભારતથી ખૂબ આગળ છે. બાળ ઠાકરે સાથે મુલાકાત બાબતે પણ તે બોલ્યો. તેણે કહ્યું કે, જ્યારે તે ભારતના પ્રવાસે મુંબઈ ગયો હતો તો તેમની સાથે (બાળ ઠાકરે) સાથે મુલાકાત થઈ હતી. તેઓ મને જોઈને ખૂબ ખુશ હતા. મુંબઇમાં જ્યાં તેઓ રહેતા હતા, એ આખી ગલી ભરેલી હતી. ભારત અને પાકિસ્તાનની જનતા ક્રિકેટ ઈચ્છે છે, પરંતુ બંને દેશોમાં નફરત રાજનેતા ભરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.